________________
૨૦૦.
સંબોધ પ્રકરણ સાધનોથી સિદ્ધ થાય તે વિદ્યા, અને સાધન વિના (માત્ર જાપથી) સિદ્ધ થાય તે મંત્ર. અથવા જેની અધિષ્ઠાત્રી દેવી હોય તે વિદ્યા, અને જેનો અધિષ્ઠાતા પુરુષ (=દેવ) હોય તે મંત્ર. તે બંને પ્રસિદ્ધ જ છે.
આદિ પદથી મૂલકર્મ, ચૂર્ણ વગેરે દોષો લેવાં. તેમાં મૂલકર્મ એટલે કોઈ સ્ત્રી પુરુષ પ્રત્યે દ્વેષવાળી થઈ ગઈ હોય તો તેનો પુરુષ પ્રત્યેનો દ્વેષ દૂર કરવો, અથવા પુરુષ પ્રત્યે ષવાળી ન હોય તેને પુરુષ પ્રત્યે. વૈષવાળી કરવી. મૂલકર્મ એટલે ગર્ભોત્પત્તિ, ગર્ભનાશ વગેરે કરાવવું. ચૂર્ણયોગ વગેરે તો પ્રસિદ્ધ છે. આ દોષોથી દુષ્ટ આચરણવાળો શ્રમણ કુશીલ બને છે. કારણ કે આત્મામાં મલિન ભાવોને કરાવનારી વિરુદ્ધ ક્રિયાથી કુશીલપણું થાય છે. (૧૬) पासत्थाईएसु संविग्गेसुं च जत्थ मिलई उ। तहि तारिसओ होइ, पियधम्मो अहव इयरो य ॥१७॥
સ્થાSિ સંવિને ઘ યજ્ઞ મિત્તતિ તુ , तत्र तादृशो भवति प्रियधर्मोऽथवेतरश्च ॥ १७ ॥.
- રૂદ્દ ગાથાર્થ પાસસ્થા વગેરે કે સંવિગ્ન એ બેમાં જેની સાથે મળે ત્યારે તેવો થાય તે સંસક્ત છે. સંસક્તના પ્રિયધર્મી અને અપ્રિયધર્મી એવા બે ભેદ છે.
વિશેષાર્થ– કુશીલનું વર્ણન કર્યું. હવે સંસક્તનું વર્ણન કરે છે– જે બહુરૂપી બને તે સંસક્ત છે. અર્થાત જેનો જેનો સંગ કરે, તેના તેના ગુણદોષવાળો બની જાય, તે સંસક્ત છે. સંસક્ત કડાયું, નટ અને ઘેટા સમાન છે. ગાયોને જેમાં ખવડાવવામાં આવે છે તે કડાયું, જેમ કડાયામાં (કટોપલા વગેરેમાં) વધેલું કે નહિ વધેલું ભાત=ઓસામણ વગેરે બધું જ નાખવામાં આવે છે, તેમ નજીકમાં (પાસ) રહેલા સંવિગ્નનાં કે અસંવિગ્નનાં બધાંય લક્ષણો સંસક્તમાં જોવા મળે ત્યારે તે સંસક્તને કડાયા ૧. આ સોળમી ગાથામાં ચારિત્રકુશીલના લક્ષણમાં વિદ્યા-મંત્ર આદિનો ઉપયોગ કરનાર
ચારિત્રકુશીલ છે એમ કહ્યું છે. તેમાં કહેલા “આદિ શબ્દથી જે લેવાનું છે તે અહીં જણાવે છે. ૨. સંવિગ્નની પાસે રહેલો હોય તો સંવિગ્નનાં લક્ષણો તેમાં દેખાય.અસંવિગ્નની પાસે રહેલો હોય તો અસંવિગ્નનાં લક્ષણો તેમાં દેખાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org