________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૧૯૯
ગૃહસ્થો તેને આહાર-પાણી વગેરે (સારું) ઘણું આપે. આ જ બુદ્ધિથી મલ્લગણ આદિ ગણોને ગણવિદ્યામાં કુશળપણું, કર્મકુશળોને કર્મકુશળપણું, શિલ્પકુશળોને શિલ્પકુશળપણું કહે અને આહારાદિ મેળવે. એ જ રીતે તપ ઉપજીવી આજીવિકા મેળવવા તપ કરીને “હું તપસ્વી છું” એમ લોકોને કહે. શ્રુત ઉપજીવી હું બહુશ્રુત છું એમ સ્વપ્રશંસા પ્રગટ કરે.
લોધર આદિથી કરેલા શરીરના ઉર્તનને કલ્ક કહેવામાં આવે છે. અથવા પ્રસૂતિ આદિ સંબંધી રોગોમાં ક્ષારપાત કરવો એ કલ્ક છે. સંપૂર્ણ શરીરમાં કે અમુક અંગોમાં સ્નાન કરવું તે કુરુકા છે. કલ્કથી સહિત કુરુકા તે કલ્કકુરુકા. વ્યવહારસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે—“કલ્ક એટલે પ્રસૂતિ આદિ સંબંધી રોગોમાં ક્ષારપાત કરવો, અથવા પોતાના સંપૂર્ણ શરીરમાં કે શરીરના અમુક અવયવોમાં લોધર આદિથી ઉર્તન કરવું. તથા કુરુકા એટલે સંપૂર્ણ શરીરમાં કે શરીરના અમુક અંગોમાં પ્રક્ષાલન કરવું.” વ્યવહારસૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે—“કલ્ક એટલે પ્રસૂતિ આદિમાં ક્ષારપાત કરે, અથવા લોધર આદિથી પોતાના શરીરમાં દેશથી કે સર્વથી ઉર્તન કરે. કુરુકા એટલે શરીરના અમુક અંગોમાં કે સંપૂર્ણ શરીરમાં પ્રક્ષાલન કરે.” નિશીથચૂર્ણિમાં તો કહ્યું છે કે—“લોધર આદિનું કલ્ક જંઘા આદિમાં ઘસે અને શરીરશુશ્રુષા કરવી તે કુરુકા છે. અર્થાત્ બકુશપણાને કરે.’ બીજાઓ
,,
---
ન=સવોની
હા=પાપ કરીને
જા તેને છુપાવવા માટે કરાતી માયા તે “કલ્કકુરુકા” એવી વ્યુત્પત્તિથી માયાપૂર્વક ઠગવા માટે જે જે બોલવામાં આવે તેને કલ્કકુરુકા કહે છે. આવશ્યકસૂત્રમાં (વંદન અધ્ય. ગાથા-૧૧૦૭ પછીની પ્રક્ષેપ ગાથાની ટીકામાં) કહ્યું છે કે—“માયાપૂર્વક ઠગવા માટે જે બોલવામાં આવે છે, તેને કલ્કકુરુકા કહે છે.” હસ્તરેખા, મસો, તલ વગેરે સામુદ્રિક (શરીરનાં) લક્ષણો છે. વિદ્યા અને મંત્ર લોકપ્રસિદ્ધ છે. (હોમ, બલિ, જાપ વગેરે) ૧. શરીર સારું દેખાય, શરીરને સુખ મળે એ માટે મોઢું ધોવું વગેરે શરીર સંબંધી સુશ્રૂષા=સેવા તે શરીરશુશ્રુષા છે.
૨. બકુશ શ્રમણ જેવા દોષો લગાડે તેવા દોષો આજીવક લગાડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org