________________
સંબોધ પ્રકરણ યથાપ્રવૃત્તિકરણ– યથાપ્રવૃત્તિકરણ એટલે નદીધોલપાષાણ ન્યાયે, એટલે કે કર્મક્ષયના આશય વિના, જેનાથી કર્મનો ક્ષય =કર્મની સ્થિતિ ઘટે) તે અધ્યવસાયવિશેષ સંસારી જીવોને કર્મક્ષય કરવાના આશય વિના પણ કર્મનો ક્ષય થાય. આથી આ કરણ સંસારી જીવોને અનાદિકાળથી છે, અપૂર્વકરણની જેમ નવું નથી. આથી તેનું યથાપ્રવૃત્ત એવું નામ સાર્થક છે. યથા એટલે જેમ. પ્રવૃત્ત એટલે પ્રવર્તેલું. અનાદિકાળથી જેવી રીતે પ્રવર્તેલું છે તેવી રીતે પ્રવર્તેલું. કર્મક્ષયના આશય વિના કર્મનો ક્ષય જેનાથી થાય (=કર્મની સ્થિતિ ઘટે) તે અધ્યવસાયવિશેષને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે.
ગ્રંથિ- ગ્રંથિ એટલે વૃક્ષના મૂળની દુર્ભેદ્ય અને કઠીન ગાંઠ જેવો દુર્ભેદ્ય રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ.
ગ્રંથિદેશ– યથાપ્રવૃત્તિકરણથી જ્યારે કર્મક્ષય વધારે થાય અને કર્મબંધ ઓછો થાય ત્યારે કર્મો ઘણાં ઘટી જાય. આ પ્રમાણે કમોં ઓછાં થતાં આયુષ્ય સિવાય સાત કર્મોની સ્થિતિ ઘટીને કંઈક (=પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ) ન્યૂન એક કોડાકોડિ સાગરોપમ જેટલી જ રહે ત્યારે ગ્રંથિનોકરાગ-દ્વેષના તીવ્ર પરિણામનો ઉદય હોવાથી તે અવસ્થાને ગ્રંથિદેશ કહેવામાં આવે છે. સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય ત્યારે તો ગ્રંથિનો (=રાગ-દ્વેષના તીવ્ર પરિણામનો) ઉદય હોય જ, કિંતુ ઘટે ત્યારે પણ ઘટતાં ઘટતાં દેશોન એક કોડાકોડિ સાગરોપમની સ્થિતિ થાય ત્યાં સુધી ગ્રંથિનો ઉદય હોય છે. ત્યારપછી ગ્રંથિનો ઉદય ન હોય. કારણ કે પછી અપૂર્વકરણથી ગ્રંથિનો ભેદ થઈ જાય છે. આમ ગ્રંથિની છેલ્લી
૧. જેમ નદીનો પથ્થર હું ગોળ બને એવી ઇચ્છા વિના અને એ માટે પ્રયત્ન વિના પાણી વગેરેથી
આમતેમ અથડાઇને ગોળ બની જાય છે. તેમ હું કર્મક્ષય કરું એવા આશય વિના અને એ માટે કોઈ પ્રયત્ન વિના થતા કર્મક્ષયમાં “નદીધોલપાષાણ' ન્યાય લાગુ પડે છે. અહીં ઘુણાક્ષર ન્યાય પણ લાગુ પડી શકે. લાકડામાં ઉત્પન્ન થનાર અને લાકડું ખાનાર કીડાને ઘુણ કહેવામાં આવે છે. તે કીડો લાકડાને કોતરી ખાય છે. તેથી લાકડામાં આશય વિના પણ અક્ષરોનો
આકાર પડે છે. ૨. મનાવવાના વક્ષપyવૃત્તોડષ્યવસાયવિશેષ: (વિશેષા. ૧૨૦૩). ૩. વિશેષાવશ્યક, પંચસંગ્રહ વગેરે મૌલિક ગ્રંથોમાં “યથાપ્રવૃત્ત' એવું નામ છે. પણ ગુજરાતી
ભાષામાં “યથાપ્રવૃત્તિ' એવું નામ વધારે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org