________________
૧૯૨
- સંબોધ પ્રકરણ તસ્યતે | સુપુર શ્રદ્ધા-રણોપરેશ-વિના
ન હનું માત્માનું સર્વત્ર સુશીલકુરિત્ર: I ૭ II રૂ૪૬ ગાથાર્થ તે સુગુરુ શ્રદ્ધા, આચરણ, ઉપદેશ અને લિંગથી ઓળખી શકાય છે. તે સુગુરુ સર્વત્ર પોતાને છૂપાવતા નથી, અર્થાત્ દંભરહિત, હોય છે, તથા સારા સ્વભાવવાળા અને સુચારિત્રી હોય છે.
વિશેષાર્થ—અભવ્ય અને દુરભવ્ય જીવો ચારિત્ર લે છે, પણ તેમનામાં શ્રદ્ધા હોતી નથી. કારણ કે તે જીવોને મુક્તિની શ્રદ્ધા હોતી નથી. નવે. તત્ત્વોમાં આઠ તત્ત્વો ઉપર શ્રદ્ધા હોય છે. પણ મોક્ષ તત્ત્વ ઉપર શ્રદ્ધા હોતી નથી. તે જીવો મોક્ષ મેળવવા નહિ, પણ ભૌતિક સુખો મેળવવા. ચારિત્ર લે છે. શ્રદ્ધા હોય પણ જિનાજ્ઞા મુજબ આચરણ ન હોય મૂલગુણોથી રહિત હોય, તો પણ સુગુરુ ન કહેવાય. આચરણ હોય, પણ ઉપદેશ મોક્ષમાર્ગથી વિરુદ્ધ હોય તો પણ સુગુરુ ન કહેવાય. કદાચ હજી આચરણમાં થોડા શિથિલ હોય તો પણ જો ઉપદેશ શુદ્ધમાર્ગનો આપતા હોય તો પણ તે સુગુરુ છે. આ વિષે ગચ્છાચાર પન્નામાં કહ્યું છે કે-“મુનિચર્યામાં શિથિલ પણ જે ચરણ-કરણની નિષ્કપટપણે પ્રશંસા કરે છે, અને કોઈ વાંછા વિના ભવ્ય જીવની આગળ યથાર્થ પ્રરૂપણા કરે છે તે અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોને શિથિલ બનાવે છે. ભવાંતરમાં સુલભબોધિ બને છે, તથા સારી દેવગતિ આદિમાં જઇને પછી સુકુલમાં જન્મ આદિ પામે છે.” (ગ.પ. ગાથા-૩૪) આથી. જ સંવિગ્ન પાક્ષિકને ગુરુ તરીકે માનવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. સુગુરુને ઓળખવા માટે લિંગ પણ જરૂરી છે. સુગુરુમાં સંયમનું પાલન થાય તેવો વેષ પણ હોવો જોઈએ. આથી જ ગૃહસ્થલિંગ કેવલી બનેલા જીવો જો. આયુષ્ય લાંબુ હોય તો સાધુવેષનો સ્વીકાર કરે છે. આમ સુગુરુને ઓળખવા માટે શ્રદ્ધા વગેરે ચારેય જોવા જરૂરી છે. (૭) पासत्थो १ ओसन्नो २, होइ कुसीलो ३ तहेव संसत्तो ४ । अहच्छंदो वि ५ य एए, अवंदणिज्जा जिणमयंमी ॥८॥ पार्श्वस्थोऽवसन्नो भवति कुशीलो तथैव संसक्तः । થાછોfપ વ તેડવન્દ્રના નિમતે 2 I ............. રૂ૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org