________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૧૯૧
નીચે જોયા વિના ચાલવું, નિષ્કારણ ટેકો લેવો, નિરીક્ષણ પ્રમાર્જન કર્યા વિના ટેકો લેવો, ખમાસમણ અને વાંદણા વગેરેમાં સંડાસા પૂંજવા વગેરેની વિધિ ન સાચવવી, ઇત્યાદિમાં કાર્યગુપ્તિનો ભંગ થાય.
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અષ્ટપ્રવચનમાતા કહેવામાં આવે છે. અહીં પ્રવચન એટલે સંયમ. જેમ માતા પુત્રને જન્મ આપે, અને તેનું પાલન પોષણ કરે, તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સંયમને જન્મ આપે છે, સંયમનું પાલન-પોષણ કરે છે, માટે તે પ્રવચનમાતા છે. પ્રવચનમાતાના પાલનથી સંયમની ઉત્પત્તિ-રક્ષા-વિશુદ્ધિ થાય છે. જે સાધુ સંયમનો વેષ પહેરે અને બાહ્યક્રિયાઓ પણ કરે, આમ છતાં જો અષ્ટ પ્રવચનમાતાનું પાલન ન કરે, તો તેનામાં સંયમ ન હોય.
જ્ઞાન, સંયમ, તપ એ ત્રણ મળીને મોક્ષમાર્ગ છે. આ ત્રણમાં સંયમની પ્રધાનતા છે. કારણ કે જ્ઞાન ગમે તેટલું હોય, પણ જ્યાં સુધી સંયમ ન આવે ત્યાં સુધી મોક્ષ ન થાય. જ્ઞાનનું ફળ ચારિત્ર છે. જ્ઞાન સીધું મોક્ષનું કારણ નથી, કિંતુ સંયમ દ્વારા મોક્ષનું કારણ છે. આથી જ નિશ્ચય નયથી સંયમરહિત જ્ઞાન નિષ્ફળ છે. સંયમરહિત જ્ઞાન માત્ર નિષ્ફળ છે એમ નહિ, કિંતુ, ક્લેશ કરનારું પણ છે. ચંદનનો ભાર ગધેડા માટે ક્લેશનું ફારણ બને છે. કારણ કે વિલેપન વગેરે ચંદનનું ફળ તેને મળતું નથી. એમ સંયમરહિત જ્ઞાનીને જ્ઞાનનું ફળ સંયમ ન મળવાથી શ્રુતનું પઠન-ગુણનચિંતન આદિ દ્વારા જ્ઞાન કેવળ ક્લેશ માટે જ થાય છે. સંયમ વિનાના તપથી પણ મોક્ષ ન થાય. જ્ઞાન ઘણું હોય અને તપ પણ ઘણો હોય, આમ છતાં વિશુદ્ધ સંયમ ન હોય તો મોક્ષ ન થાય. જ્ઞાન અને તપ અલ્પ હોય. પણ જો વિશુદ્ધ સંયમ હોય તો મોક્ષ થાય. આમ જ્ઞાન અને તપની સફળતા સંયમ દ્વારા છે.આ રીતે જ્ઞાન-સંયમ-તપ એ ત્રણમાં સંયમની પ્રધાનતા છે. માટે સાધુ-સાધ્વીએ સંયમનું પાલન સુંદર થાય, તેની કાળજી રાખવી જોઇએ. અષ્ટ પ્રવચનમાતા વિના સંયમનું સુંદર પાલન ન થાય માટે અષ્ટ પ્રવચનમાતાના પાલનમાં ઉદ્યમવાળા બનવું જોઇએ. लक्खिज्जइ सो सुगुरू, सद्धाकरणोवएसलिंगेहिं । अनिगूहंतो अप्पं, सव्वत्थ सुसीलसुचरित्तो ॥ ७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org