________________
સંબોધ પ્રકરણ
૧૯૦
વચનગુપ્તિ કહેલ છે. બીજા પ્રકારની વચનગુપ્તિમાં વાણી ઉપર નિયંત્રણ કરવાનું કહ્યું છે. વાણી ઉપર નિયંત્રણ કરવું એટલે શું ? લોક અને આગમનો વિરોધ ન આવે તે રીતે અને મુહપત્તિથી મુખને ઢાંકીને બોલવું તે વાણી ઉપર નિયંત્રણ છે. આ બે પ્રકારની વચનગુપ્તિમાં પહેલાં તો પ્રથમ પ્રકારની વચનગુપ્તિનું પાલન કરવું જોઇએ. તેમ ન બને ત્યારે બીજા પ્રકારની વચનગુપ્તિનું પાલન કરવું જોઇએ. પહેલા પ્રકારની વચનગુપ્તિનું પાલન કઠીન છે. પહેલા પ્રકારની વચનગુપ્તિનું પાલન સરળ બને એ માટે સાધુએ ઓછું બોલવાનો અભ્યાસ કરવો જોઇએ.
૩. કાયગુપ્તિ— કાયોત્સર્ગ આદિ દ્વારા કાયવ્યાપારની નિવૃત્તિ, અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોમાં શાસ્ત્રોક્ત વિધિમુજબ પ્રવૃત્તિ, એ કાયગુપ્તિ છે. યોગશાસ્ત્રમાં નિવૃત્તિરૂપ કાયગુપ્તિનું લક્ષણ આ પ્રમાણે છે— उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः ।
સ્થિરીમાવ: શરીરસ્ય, વ્યાયવ્રુત્તિનિદ્યતે | o-૪રૂ ॥
“કાયોત્સર્ગવાળા મુનિ ઉપસર્ગના પ્રસંગમાં પણ શરીર નિશ્ચલ રાખે એ કાયગુપ્તિ કહેવાય છે.’”
પ્રવૃત્તિરૂપ કાયગુપ્તિનું લક્ષણ આ પ્રમાણે છે— શયનાસન-નિક્ષેષાવાન-વહ્ મળેવું = ।
સ્થાનેષુ ચેષ્ટાનિયમ:, જાવયુતિસ્તુ સાપરા ॥ -૪૪ ॥ “સૂવું, બેસવું, મૂકવું, લેવું, ચાલવું, ઊભા રહેવું અને ટેકો દેવો વગેરે ક્રિયાઓમાં સ્વચ્છંદ પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે બીજી કાયગુપ્તિ છે.”
અહીં સ્વચ્છંદ પ્રવૃત્તિનો ત્યાગ કરવો એટલે શાસ્ત્રાજ્ઞા મુજબ પ્રવૃત્તિ ક૨વી. જેમ કે રાતે સૂવું હોય ત્યારે પોરિસી ભણાવીને વિધિપૂર્વક સૂવું. દિવસે કા૨ણ વિના સૂવું નહિ. બેસવું હોય ત્યારે રજોહરણથી શરીરને અને આસનને પૂંજીને બેસવું. ભૂમિ ઉપર ન બેસવું, વસ્તુ લેવી-મૂકવી હોય તો જોઇ પ્રમાર્જીને મૂકવી. ચાલવું હોય ત્યારે ઇર્યાસમિતિપૂર્વક ચાલવું.
આનાથી એ નક્કી થયું કે નિષ્કારણ દિવસે સૂવું, રાત્રે પણ વધારે ઊંઘવું, આસન વિના જમીન ઉપર બેસવું, જોયા વિના અને પ્રમાર્જન કર્યા વિના બેસવું, વસ્તુ લેવા મૂકવામાં નિરીક્ષણ-પ્રમાર્જન ન કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org