________________
ગુરુ અધિકાર વિભાગ-૧
पंचेंदियदमणपरा, जिणुत्तसिद्धंतगहियपरमत्था । पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसा गुरुणो ॥ ६ ॥ पञ्चेन्द्रियदमनपरा जिनोक्तसिद्धान्तगृहीतपरमार्थाः । पञ्चसमितास्त्रिगुप्ताः शरणं ममैतादृशो गुरवः ॥ ६ ॥
३४५
ગાથાર્થ—પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ, બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત, કેવળ ચારિત્રની રક્ષા નિમિત્તે ઉપકરણોને ધારણ કરનારા, (૫) પાંચ ઇંદ્રિયોને દમન કરવામાં તત્પર, જિનોક્ત સિદ્ધાંતોના પરમાર્થને જાણનારા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરનારા એવા ગુરુઓ મારું શરણ છે.
૧૮૭
વિશેષાર્થ બાહ્ય પરિગ્રહ– ધન, ધાન્ય, ક્ષેત્ર (=ખેતી કરવાની જમીન), વાસ્તુ (=રહેવા માટેના મકાનો), રુપ્પ (=ચાંદી), સુવર્ણ, ચતુષ્પદ (=ચાર પગવાળા ગાય-ભેંસ વગેરે), દ્વિપદ (=બે પગવાળા દાસ-દાસી વગેરે), કુપ્પ (=ચાંદી-સોનું સિવાયની તાંબુ વગેરે ધાતુનાં વાસણો વગેરે) એમ નવ પ્રકારે બાહ્યપરિગ્રહ છે. અત્યંતર પરિગ્રહ– મિથ્યાત્વ, વેદત્રિક, હાસ્યાદિષટ્ક, ક્રોધાદિ ચાર કષાય એમ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે.
પાંચ સમિતિ— ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપ સમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ એમ પાંચ સમિતિ છે. ઇર્યાસમિતિ— જે માર્ગમાં લોકોની અવર-જવર થતી હોય, તેમજ જે માર્ગ ઉપર સૂર્યનાં કિરણો પડતાં હોય, તેવા માર્ગમાં જીવોની રક્ષા માટે નીચે નજર કરીને ચાલવું તે ઇયંસમિતિ છે. ભાષાસમિતિ– નિર્દોષ અને સર્વને હિતકારી એવું વચન બોલવું એ ભાષાસમિતિ છે. આવી ભાષા સાધુઓને પ્રિય હોય છે. એષણાસમિતિ– સંયમના નિર્વાહ માટે જરૂરી આહાર-પાણી વગેરેની શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાસ કરીને દોષરહિત આહાર-પાણી આદિનું ગ્રહણ કરવું તે એષણાસમિતિ. આદાન-નિક્ષેપ સમિતિ– આદાન એટલે ગ્રહણ કરવું. નિક્ષેપ=મૂકવું. લેવાની અને મૂકવાની સમ્યક્ પ્રવૃત્તિ તે આદાન-નિક્ષેપ સમિતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org