________________
૧૮૬
સંબોધ પ્રકરણ
દીપે છે. (૩) જેમ સૂર્યથી સૂર્યવિકાસી કમળોની સૌંદર્યસંપત્તિ ખીલી ઉઠે છે, તેમ મુનિથી ભવ્ય જીવરૂપ કમળોની જ્ઞાનાદિ આત્મલક્ષ્મી વિકાસ પામે છે. (૪) જેમ સૂર્ય રાજા કે રંક સૌને સમાન રીતે પ્રકાશ આપે છે, તેમ મુનિ રાજા કે રંક સૌને ભેદભાવ વિના ધર્મદેશના આપે છે. (૫). જેમ સૂર્ય પોતાના હજારો કિરણોથી શોભે છે, તેમ મુનિ હજારો શીલાંગોથી શોભે છે. (૬) જેમ સૂર્ય પોતાના તાપથી જળ, કાદવ અને અશુચિને સૂકવી નાખે છે, તેમ મુનિ બાર પ્રકારના તરૂપ તાપથી કર્મક્લેશ અને વિભાવરૂપ જળ-કાદવ અને અશુચિને સૂકવી નાંખે છે. (૭) સૂર્ય જેમ મેરુ પર્વતને નિત્ય પ્રદક્ષિણા આપે છે, તેમ મુનિ શ્રીવીતરાગ ભગવાનની આજ્ઞાને અનુકૂળ રહી જીવન જીવે છે. આ
૧૨. પવનની ઉપમા– (૧) પવન જેમ આરોગ્યવર્ધક હોય છે, તેમ મુનિ લોકોના ભાવ આરોગ્ય (જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય)માં વૃદ્ધિ કરે છે. (૨) જેમ પવન દુર્ગધને દૂર કરે છે, તેમ મુનિ ભવ્ય જીવોની દોષ રૂપી દુર્ગંધને દૂર કરે છે. (૩) જેમ વેગવાન પવન વૃક્ષોને ઉખેડીને ફેંકી દે છે, તેમ મુનિ ધ્યાનાવેગ વડે કર્મવૃક્ષોનું ઉમૂલન કરે છે. (૪) જેમ પવન શ્રી જિનમંદિરો ઉપરની ધજાને આકાશમાં ફરકાવે છે, તેમ મુનિ જિનશાસનની જયપતાકાને જગતમાં લહેરાવે છે. (૫) જેમ પવન પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાનરૂપે થઈને દેહને ધારણ કરે છે, તેમ મુનિ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્યરૂપે પરિણમીને આત્મસ્થિતિને ધારણ કરે છે. (૬) જેમ પવન અપ્રતિબદ્ધપણે સર્વત્ર વાય છે, તેમ મુનિ પણ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. (૭) જેમ પવન સતત વહનશીલ છે, તેમ મુનિ પણ મોક્ષમાર્ગમાં સદા વહેતા પ્રવૃત્ત) હોય છે.
(પ.પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદ વિ.મ. (પાછળથી આચાર્યશ્રી મિત્રાનંદસૂરિ) સંપાદિત “મહાસાગરનાં મોતી' પુસ્તકમાંથી સાભાર ઉદ્ધત).
ससरीरे वि निरीहा, बज्झब्भंतरपरिग्गहविमुक्का। धम्मोवगरणमित्तं, धरंति चारित्तरक्खट्टा ॥५॥ स्वशरीरेऽपि निरीहा बाह्याभ्यन्तरपरिग्रहविमुक्ताः । धर्मोपकरणमात्रं धरन्ति चारित्ररक्षणार्थम् ॥ ५ ॥
३४४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org