________________
૧૮૪
સંબોધ પ્રકરણ પ્રતિબંધ=રાગ ભાવ પામતો નથી, તેમ મુનિ પણ આહારાદિ માટે ગૃહસ્થના ઘેર જાય પણ ત્યાં રાગાદિ ભાવને પામતો નથી. રાગરૂપ સ્નેહ સંબંધને બાંધતો નથી. (૩) ભ્રમર પુષ્પ ઉપર ગુંજારવ કરે છે, તેમ મુનિ ગામેગામ વિહાર કરી ચતુર્વિધ સંઘરૂપી પુષ્પ ઉપર ધમદશના રૂપી ગુંજારવ કરે છે. (૪) ભ્રમર જેમ આહારાદિકનો સંગ્રહ કરે નહિ તેમ મુનિ અશન-પાન કે વસ્ત્રાદિકનો સંગ્રહ કરે નહિ, શાસ્ત્રમર્યાદા ઉપરાંત રાખે નહિ. (પ) જેમ ભ્રમર સુગંધ લેવા પુષ્પ ઉપર વગર બોલાવ્યો જાય, તેમ મુનિ ગૃહસ્થને ત્યાં વગર બોલાવ્યે ગોચરી જાય. (૬) જેમ માળીએ બનાવેલી પુખવાડીમાં ભ્રમર સુગંધ લેવા જાય, એમ મુનિ પણ ગૃહસ્થોએ પોતાને માટે બનાવેલા આહારમાંથી ગૌચરી મધુકરવૃત્તિથી લેવા માટે જાય. (૭) ભ્રમર કેતકી, માલતી, કેવડાદિ ઉપર વારંવાર જાય છે, તેમ મુનિ પણ શ્રદ્ધાળુ ધર્મી પુરુષો હોય ત્યાં વારંવાર જાય, તેવા ક્ષેત્રોમાં વિહાર કરે.
૮. મૃગની ઉપમા- (૧) જેમ મૃગ જંગલમાં એકલો વિચરે, તેમ મુનિ લોકમાં ભાવથી એકાકી (અપ્રતિબદ્ધપણે) વિચરે છે. (૨) જેમ મૃગ હંમેશ એક સ્થાનમાં રહેતું નથી, તેમ મુનિ પણ સદા એક સ્થાનમાં રહેતા નથી. (૩) જેમ મૃગ સિંહાદિથી ભયભીત રહે છે, તેમ મુનિ પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન રહે છે. (૪) શિકારીના ભયથી જેમ મૃગ ઝાડીમાં સંતાઈ જાય છે, તેમ અસંયમના ભયથી મુનિ ગુમિપૂર્વક ગુરુકુલવાસમાં રહે છે. (૫) જેમ મૃગ તૃણાદિ નિર્દોષ (માંસ વગેરેની અપેક્ષાએ નિર્દોષ) ખોરાક ઉપર જીવન ચલાવે છે, તેમ મુનિ પણ ૪૨ દોષથી રહિત ભિક્ષા વડે સંયમ જીવનને ટકાવે છે. (૬) જેમ મૃગ નિર્મળ સરોવરમાંથી સરોવરના કાંઠે રહી પાણીને બગાડ્યા-ડોહળ્યા વિના જ જલપાન કરે છે, તેમ મુનિ ગૃહસ્થો પાસેથી તેમને હરકત ન આવે એ રીતે આહારાદિ ગ્રહણ કરે છે. (૭) મૃગનો સ્વભાવ સરળ-ભદ્રિક હોય છે, તેમ મુનિ પણ સરળ સ્વભાવવાળા (નિષ્કપટ સ્વભાવવાળા) હોય છે.
૯. પૃથ્વીની ઉપમા– (૧) જેમ પૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય, દેવાદિના કૃત્ય-લડાઈ, દહન, પચન, શોષણ વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org