________________
સંબોધ પ્રકરણ મૂળ ગાથામાં સાધ્ય-સાધન રૂપ સંબંધનો સાક્ષાત્ નિર્દેશ કર્યો નથી. પણ મૂળ ગાથામાં પ્રયોજનનો નિર્દેશ કર્યો છે. પ્રયોજનના નિર્દેશથી સાધ્યસાધનરૂપ સંબંધનો પણ નિર્દેશ થઈ ગયો છે.
અહીં પહેલી ગાથામાં સુવિહિતોના હિત માટે એટલે મોક્ષમાર્ગને પામેલા સાધુ અને શ્રાવકોના હિત માટે. બીજી ગાથામાં જે જીવો. નજીકમાં જ સમ્યગ્દર્શન વગેરે મોક્ષમાર્ગને પામવાના છે તેવા મિથ્યાદષ્ટિ જીવોનો નિર્દેશ કર્યો છે.
ચરમાવર્તમાં– જીવો ચરમાવર્તિમાં જ મોક્ષમાર્ગમાં અનુરાગવાળા બને છે. મોક્ષનો અનુરાગ થયા વિના મોક્ષમાર્ગનો અનુરાગ ન જ થાય. મોક્ષનો અનુરાગે ચરમાવર્તમાં જ થાય. દરેક જીવમાં સહજ ભાવમલ રહેલો હોય છે. સાથે થાય તે સહજ. ભાવમલ જીવના સમાનકાળે જ થનાર છે. અર્થાત જ્યારથી જીવ છે ત્યારથી જ મલ છે. માટે મલનું સહજ વિશેષણ છે. શરીર વગેરેનું મલ દ્રવ્યમલ છે. આત્માનો મલ ભાવમલ છે. માટે મલનું ભાવ એવું વિશેષણ છે. સહજ ભાવમલ એટલે આત્માની કર્મસંબંધની યોગ્યતા. આત્મામાં સહજ ભાવમલ કર્મસંબંધની યોગ્યતા છે માટે આત્મા કર્મબંધ કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અત્યંત દુઃખોને પામે છે. દરેક આવર્તમાં સહજ ભાવમલનો હ્રાસ થતો જાય છે. પણ મોક્ષમાર્ગનો અનુરાગ થાય તેટલો સહજ ભાવમલનો હ્રાસ થયો હોતો નથી.
જૈનશાસનનો આ નિયમ છે કે તથાભવ્યત્વનો પરિપાક થયા વિના મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગ થતો નથી. તથાભવ્યત્વના પરિપાક માટે જેટલો ભાવમલનો હ્રાસ (=ક્ષય) આવશ્યક છે તેટલો ભાવમલનો હ્રાસ ચરમ પુદ્ગલપરાવર્ત પહેલાં ન થાય. ચરમ પુદ્ગલ પરાવર્તમાં જ થાય. માટે ચરમ પુદ્ગલ પરાવર્તમાં જ મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગ થાય. જેમ મહાવ્યાધિના વિકારમાં જીવને પથ્ય આહાર પ્રત્યે અનુરાગ ન થાય, તેમ ઘણા ભાવમલના પ્રભાવથી ચરમાવર્તની બહાર રહેલા જીવને મોક્ષમાર્ગ પ્રત્યે અનુરાગ પ્રગટતો નથી. માટે અહીં “ચરમાવર્તિમાં” એમ કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org