SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ સંબોધ પ્રકરણ लिङ्गं जिनप्रज्ञप्तमेवं नमतो निर्जरा विपुला । ચપ ગુણવિપ્રહીન વેન્ડૉડધ્યાત્મશુક્યા II રૂ૭ | ... ૨૭ ગાથાર્થ– જેનાથી “આ સાધુ છે' એમ ઓળખાય તે લિંગ છે. “રજોહરણાદિ ધારણ કરવા રૂપ આ લિંગ શ્રીજિનેશ્વરોએ કહેલું છે એવા ભાવથી (અર્થાત્ પ્રતિમા જેમ જિનની છે, તેમ લિંગ પણ જિનકથિત હોવાથી વંદનીય છે એવા ભાવથી) સાધુવેષને વંદન કરનારને ઘણી નિર્જરા થાય છે. જો કે તે પાસત્યાદિ મૂળગુણ-ઉત્તરગુણોથી અનેક રીતે હિન છે, તો પણ તેને પોતાની ચિત્તશુદ્ધિથી વંદન કરે છે તેથી ઘણી નિર્જરાને પામે છે. (૩૧૭) (ગુવિ.ઉ.૩. ગા-૧૬૨) ઉત્તરપક્ષसंता तित्थयरगुणा, तित्थयरे तेसिमं तु अन्नत्थ । न य सावज्जा किरिया, इयरेसु धुवा समणुमन्ना ॥३१८ ॥ सन्तस्तीर्थंकरगुणास्तीर्थंकरे तेषामिदं त्वन्यत्र। , નવ સાવ ક્રિયા તળુ ધ્રુવા સમનુમચા ! રૂ૨૮ . ... ૨૨૮ ગાથાર્થ– તીર્થકરમાં જ્ઞાનાદિ ગુણો વિદ્યમાન છે, અને આ પ્રતિમા ભગવાનની છે” આવી બુદ્ધિ પ્રતિમાને વંદન કરનારમાં હોય છે, ત્યાં તે પ્રતિમામાં કોઈ સાવદ્ય પાપ ક્રિયા નથી માટે દોષ થતો નથી. પાસત્યાદિમાં તો સાવઘક્રિયા હોય છે જ. આથી સાવઘક્રિયા યુક્ત પાર્થસ્થાદિને વંદન કરવાથી તેઓની સાવઘક્રિયાની પણ અનુમોદના થાય જ. અથવા આ ગાથાનો બીજી રીતે આ પ્રમાણે પણ ભાવાર્થ છે– પ્રતિમાને વંદન કરનારાઓની બુદ્ધિ “અમે તીર્થકરમાં વિદ્યમાન ગુણોને વંદન કરીએ છીએ એવી હોય છે. એમ અરિહંતના ગુણોના આરોપણથી ઈષ્ટ પ્રતિમાને વંદન-પ્રણામ કરતાં તે વંદન-પ્રણામાદિ કરનારથી થતી હલન-ચલન રૂપ ક્રિયા સાવદ્ય બનતી નથી. પણ પાર્થસ્થાદિની પૂજા કરવામાં તો તેઓ સાવઘક્રિયાથી યુક્ત હોવાથી વંદન કરનારને પણ તે અશુભક્રિયાની અનુમોદનાનો દોષ અવશ્ય લાગે છે. (૩૧૮) (ગુ.ત.વિ.ઉ.૩. ગા-૧૬૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy