________________
૧૬૯
દેવ અધિકાર
जइ नो ता खलु एवं, तब्भावणभावमाणभव्वाणं। कहमेयारूवं चिय, पयड ता सिद्धरूवत्तं ॥३१५ ॥ यदि नो तर्हि खल्वेवं तद्भावनभावमानभव्यानाम् ।
થતમેવ પ્રતિ તાત્ સિદ્ધત્વમ્ II રૂ૫ I ... ૨૫ ગાથાર્થ– જો પ્રતિમા દ્રવ્યસિદ્ધરૂપ ન હોય તો (પ્રતિમામાં) સિદ્ધપણાની ભાવના ભાવતા ભવ્ય જીવોનું તેવું જ સિદ્ધસ્વરૂપ કેમ પ્રગટ – થાય? તેથી પ્રતિમા દ્રવ્યસિદ્ધસ્વરૂપ છે. (૩૧૫) પૂર્વપક્ષ– जइ अप्पभावपगुणं, विसुद्धहेऊ जणेइ झाणाणं । ता अण्णसव्वपडिमा, त्थीपमुहा गुणकरी किं तो ॥३१६ ॥ यदि आत्मभावप्रगुणं विशुद्धहेतुर्जनयति ध्यानानाम् । । તfહં સર્વપ્રતિમા સ્ત્રીપ્રમુઠ્ઠા ગુવારી fજંતતઃ II રૂદ્દ ... ૩૬૬ ગાથાર્થ– જો જીવનો વિશુદ્ધ હેતુ ધ્યાન કરનારાઓના વિશુદ્ધ ભાવોને ઉત્પન્ન કરે છે તો અન્ય સ્ત્રી વગેરે સર્વની પ્રતિમા લાભ કરનારી થાય. તેથી શું થયું? વિશેષાર્થ– ઉપર કહ્યું કે પ્રતિમામાં ગુણો ન હોવા છતાં આ તીર્થંકર છે એમ માનીને શુદ્ધભાવથી વંદન કરનાર ઘણી નિર્જરા પામે છે. આનો અર્થ એ થયો કે આલંબન ગુણી છે કે નિર્ગુણી છે એની મુખ્યતા નથી, કિંતુ જીવના શુદ્ધભાવની મુખ્યતા છે. હવે જો જીવના ભાવની મુખ્યતા છે તો કોઈ જીવ બધા જીવો નિશ્ચયનયથી સિદ્ધસ્વરૂપ છે એમ વિચારીને સ્ત્રી વગેરેની પ્રતિમાને પણ આ સિદ્ધની પ્રતિમા છે એમ માનીને વંદનાદિ કરે તો તેને સ્ત્રી વગેરેની પ્રતિમા ગુણ કરનારી થાય. હવે જો સ્ત્રી વગેરેની પ્રતિમા પણ ગુણ કરનારી થાય તો તેથી શું થયું તે હવે પછીની ગાથામાં કહે છે. (૩૧૬). लिंगं जिणपन्नत्तं, एव नमंतस्स निज्जरा विउला। जइवि गुणविप्पहीणं, वंदइ अज्झत्थसोहीए ॥३१७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org