SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ हिसानुबन्धिनी हिंसा मिथ्यादृष्टेस्तु दुर्मतेः । अज्ञानशक्तियोगेन तस्याहिंसापि तादृशी ॥ १ ॥ “દુષ્ટમતિવાળા મિથ્યાર્દષ્ટિની હિંસા હિંસાના અનુબંધવાળી હોય. તેનામાં અજ્ઞાનતાની શક્તિ રહેલી હોવાથી તેની અહિંસા પણ હિંસાના અનુબંધવાળી હોય.” સમ્યગ્દષ્ટિ શ્રાવકોની અને સાધુઓની જિનાજ્ઞા મુજબ કરાતી ધર્મક્રિયામાં થઇ જતી હિંસામાં અનુબંધ અહિંસાનો હોય એ વિષે અધ્યાત્મસાર અધિકા૨-૧૨માં કહ્યું છે કે सतामस्याश्च कस्याश्चिद्, यतनाभक्तिशालिनाम् । અનુવન્યો હિંસાયા, બિનપૂનામિનિ ॥ ૪૮ ॥ “યતના અને ભક્તિથી યુક્ત સમ્યગ્દષ્ટિ શ્રાવકોની જિનપૂજા આદિમાં થઇ જતી કોઇક પ્રકારની હિંસામાં અનુબંધ અહિંસાનો થાય છે.” . साधूनामप्रमत्तानां सा चाहिँसानुबन्धिनी । हिंसानुबन्धविच्छेदाद् गुणोत्कर्षो यतस्ततः ॥ ५१ ॥ સંબોધ પ્રકરણ “અપ્રમત્ત સાધુઓની હિંસા અહિંસાના અનુબંધવાળી હોય. કારણ કે અનુબંધહિંસાનો વિચ્છેદ થવાથી તે હિંસાથી પણ ગુણવૃદ્ધિ થાય છે.” (૩૦૭) अभिगमणवंदणनमंसणाणि पच्चक्खं साहुणो वि किच्चाणि । अणिसिद्धमणुमयाणि-त्ति निरवज्जरुवाणि ॥ ३०८ ॥ अभिगमन-वन्दन-नमस्यानि प्रत्यक्षं साधोरपि कृत्यानि । અનિષિદ્ધમનુમતાનીતિ નિરવદ્યા । રૂ. ...................... ગાથાર્થ— શ્રાવકો પ્રત્યક્ષ સાધુને પણ અભિગમન-વંદન-નમસ્કાર વગેરે કરે છે. (તેમાં હિંસા થતી હોવા છતાં) ભગવાને એ કર્તવ્યોનો નિષેધ કર્યો નથી. આથી જેનો નિષેધ ન કરાયો હોય તે સંમત હોય” એ ન્યાયથી એ કર્તવ્યો ભગવાનને સંમત છે. આથી આ કર્તવ્યો નિર્દોષ છે. વિશેષાર્થ— સાધુઓને કરાતા અભિગમન વગેરે કથંચિત્ હિંસાયુક્ત હોવા છતાં જેમ નિર્દોષ છે, તેમ જિનપૂજા પણ કથંચિત હિંસાયુક્ત હોવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy