SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સંબોધ પ્રકરણ · पूजायां कायवधः प्रसङ्गजनितस्तथाप्यनवद्यः । માનંત્રી પ્રદ્ય ઐધિકારણે સર્વત્ર 1 રૂ૦૪ ..................... રૂક ગાથાર્થ– જો કે પૂજામાં પ્રસંગથી ઉત્પન્ન કરાયેલી જીવહિંસા હોય છે તો પણ તે જીવહિંસા (કર્મબંધરૂપ) દોષથી રહિત છે. કારણ કે નિસહિ કરવામાં સર્વત્ર મૈત્રી પ્રગટ થાય છે. વિશેષાર્થપૂજક જ્યારે જિનમંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે “નિસીહિ' કહીને પ્રવેશે છે. તે નિહિ બોલીને સાંસારિક સર્વ પ્રકારની પ્રવૃત્તિના ત્યાગનો સંકલ્પ કરે છે. મન-વચન-કાયાથી સાંસારિક સર્વ પ્રકારની પ્રવૃત્તિના ત્યાગથી પૂજકના મનમાં મૈત્રીભાવ પ્રગટે છે. સાંસારિક પ્રવૃત્તિથી જીવહિંસા થાય છે. આ જીવહિંસા ન થાય એ માટે સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. મૈત્રીભાવ વિના ભાવથી જીવહિંસાનો ત્યાગ ન થાય. આથી જ પંચાશક ગ્રંથમાં પૂજા પંચાશકમાં કહ્યું છે કે देहादिनिमित्तंपि हु जे कायवहंमि तह पयर्टेति ।, जिणपूयाकायवहंमि तेसिमपवत्तणं मोहो ॥ ४५ ॥ જે શરીર, સ્ત્રી, સંતાન, સંપત્તિ આદિ માટે ખેતી, વેપાર વગેરે દ્વારા જીવહિંસામાં પ્રવૃત્તિ કરે છે તેની જિનપૂજા માટે જીવહિંસામાં અપ્રવૃત્તિ એ મૂઢતા છે. નહિ તો જેનાથી અનેક લાભ થાય છે તેવી જિનપૂજામાં પ્રવૃત્તિ કેમ ન કરે? “. જિનપૂજાથી ગૃહસ્થને થતા લાભો-(૧) ભાવવિશુદ્ધિ, (૨) સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ, (૩) પરિણામે ચારિત્રની પ્રાપ્તિથી સંપૂર્ણ જીવહિંસા બંધ, (૪) બીજા જીવોને ધર્મપ્રાપ્તિ, (૫) પરિણામે સ્વપરની મુક્તિ. આમ જિનપૂજા જીવહિંસારૂપ નહિ, પણ જીવદયારૂપઅહિંસારૂપ જ છે. (૩૦૪) समणोवासगभेया, चहा विरया य सव्वओ विरया। विरयाविरया सव्वओ, विरयाविरया इमे चहा ॥३०५॥ श्रमणोपासकभेदाश्चतुर्धा विरताश्च सर्वतो विरताः।। વિતાવિતા: સર્વતો વિસ્તાવિતા રે વતુ I રૂછ્યું l .... ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy