SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ અધિકાર ૧૬૩ ૩. મધુ આશ્રવ-૪. વૃતાશ્રવ-૫. ક્ષીરાશ્રવ– પાત્રમાં પડેલું ખરાબ અન્ન પણ મધ, ઘી અને દૂધ સમાન થઈ શક્તિવર્ધક બને તેવી લબ્ધિ તે અનુક્રમે મધુઆશ્રવ, વૃતાશ્રવ અને ક્ષીરાગ્નવલબ્ધિ છે. ૬. અક્ષણમહાન – પાત્રમાં વહોરાવેલ અલ્પ પણ અન્ન ઘણાને આપવા છતાં ન ખૂટે તેવી લબ્ધિ. ૭. અનુભવયુક્ત જિનેશ્વરભક્તિ– અભવ્ય જીવ જિનભક્તિ કરે પણ ભાવ વિના કરે. તેથી હૈયામાં ભક્તિની અનુભૂતિ ન થાય. सम्मट्ठिीण जईण-मकसाईणं भवे अहिंसतियं । उज्जुत्ताणुज्जुत्ताण, य दव्यभावेहिं होइ दुहा ॥३०३॥ सम्यग्दृष्टीनां यतीनामकषायिणां भवेदहिंसात्रिकम् । plygp નાં દ્રવ્ય-પીવાણાં મતિ દ્વિધા II રૂ૦૩ - રૂ૦૩ ગાથાર્થ– સમ્યગ્દષ્ટિ જીવોમાં, સાધુઓમાં અને વીતરાગ ભગવંતોમાં ત્રણ પ્રકારની અહિંસા સંભવે છે. યેતનામાં ઉદ્યમવાળા અને યતનામાં ઉદ્યમથી રહિત જીવોને આશ્રયીને દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે અહિંસા હોય છે. વિશેષાર્થ–પ્રશ્ન-સમ્યગ્દષ્ટિજીવો વગેરે ત્રણમાં શ્વાસોશ્વાસ આદિથી સ્વરૂપહિંસા અવશ્ય હોય છે. તેથી ત્રણ પ્રકારની અહિંસા કેમ સંભવે? ઉત્તર- વતનાવાળા સમ્યગ્દષ્ટિ વગેરેને સ્વરૂપહિંસા માત્ર દ્રવ્યથી હોય, ભાવથી નહિ. ભાવથી સ્વરૂપહિંસા પણ ન હોય એ દૃષ્ટિએ અહીં સમ્યગ્દષ્ટિ આદિ ત્રણને ત્રણ પ્રકારની અહિંસા સંભવે એમ કહ્યું. યતનામાં ઉદ્યમવાળા જીવોને ભાવથી અહિંસા હોય. યતનામાં ઉદ્યમવાળા જીવો પ્રવૃત્તિ કરે ત્યારે તેવા પ્રકારના સંયોગમાં જીવ મરી જાય તો દ્રવ્યથી અહિંસા ન હોય, પણ ભાવથી અહિંસા હોય. અયતનામાં ઉદ્યમવાળા જીવો પ્રવૃત્તિ કરે ત્યારે જીવન મરે તો દ્રવ્યથી અહિંસા હોય, પણ ભાવથી અહિંસા ન હોય, ભાવથી હિંસા જ હોય. (૩૦૩) - पूयाए कायवहो, पसंगजणिओ तहावि अणवज्जो। जम्हा मित्ती पयडा, निसीहिकरणंमि सव्वत्थ ॥३०४ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy