________________
દેવ અધિકાર
૧૫૫ હતો, તો એ શા કારણે અનંતકાળ સુધી સંસારમાં ભમ્યો? ભગવાને ઉત્તર આપ્યોઃ હે ગૌતમ! પોતાના પ્રમાદ દોષથી તે અનંતકાળ સુધી સંસારમાં ભમ્યો. કારણ કે સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે–“ચૌદપૂર્વી, આહારકશરીરી, ઋજુમતિ મન:પર્યવજ્ઞાની અને (ઉપશમશ્રેણિમાં) વીતરાગ પ્રમાદને આધીન બનીને તે ભવ પછી તરત જ ચારે ય ગતિમાં જનારા થાય છે.” ઇત્યાદિ. તેથી ગચ્છાધિપતિએ સર્વ કાર્યોમાં અપ્રમત્ત થવું જોઈએ.
આ પ્રમાણે પૂર્વાચાર્યો વડે સંસ્કારિત કરાયેલ સાવદ્યાચાર્યનો સંબંધ છે. (૨૮૧) (યતિલક્ષણ સમુચ્ચય)
जा जिणभत्ती किज्जइ, अणज्जलिंगीण सावइज्जेहि। पडिमा पासाईया, बोहिमलयहुमग्गिसमा ॥२८२॥ या जिनभक्तिः क्रियतेऽनार्यलिङ्गिनां स्वापतेयैः। પ્રતિમા પ્રાસાલીયા વોધિમયકુમાનિસમાં I ર૮ર ... ર૮ર
ગાથાર્થ અનાર્ય વેષધારીઓના ધનથી જે જિનભક્તિ કરાય છે તે પ્રતિમાભક્તિ અને જિનમંદિરભક્તિ સમ્યગ્દર્શનરૂપ ચંદનવૃક્ષ માટે અગ્નિ સમાન છે.
વિશેષાર્થ– જે જિનમંદિરમાં વેષધારી અસંયતોના ધનથી જિનભક્તિ કરવામાં આવતી હોય તે જિનમંદિરમાં જિનપૂજા આદિ કરવામાં સેમ્યગ્દર્શન નષ્ટ થાય એવું અહીં તાત્પર્ય છે. તેવા જિનમંદિરમાં જિનપૂજા કરવાથી વેષધારી અસંયતોની ખોટી પ્રવૃત્તિને સમર્થન મળે. ખોટી પ્રવૃત્તિને સમર્થન આપવાથી સમ્યગ્દર્શનનો નાશ થાય. (૨૮૨) ૧. પૂર્વે વેષધારી સાધુઓ દ્રવ્યપૂજા કરતા હતા. આ વિષે મહાનિશીથના પાઠનો ભાવ આ
પ્રમાણે છે- શાસના પરમાર્થને નહિ જાણનારા, શિથિલાચારી, સ્થિરવાસી, પરલોકમાં થનારા અનર્થને નહિ જોનારા, સ્વમતિ પ્રમાણે ચાલનારા, રસ-ઋદ્ધિ-શાતા ગારવામાં પડેલા, રાગ-દ્વેષ-મોહ-અહંકાર-મમતામાં પ્રતિબદ્ધ, સર્વવિરતિરૂપ સંયમથી વિમુખ બનેલા, નિર્દય, પાપાચરણમાં જ બુદ્ધિવાળા, મિથ્યાદષ્ટિ, કેવળ દ્રવ્યથી સર્વસાવદ્ય યોગનું ત્રિવિધ-ત્રિવિધ પચ્ચકખાણ કરીને સામાયિકનો સ્વીકાર કરનારા અને કેવળ દ્રવ્યથી સર્વ સંગ-આરંભ-પરિગ્રહનો ત્યાગ કરનારા, નામમાત્રથી મહાવ્રતધારી સાધુ થઈને કેટલાક પ્રક્ષાલન-લેપ-ગંધ-પુષ્પમાળા-પ્રદીપ-વસ-બલિ-ધૂપ-આદિ સત્કારોથી દરરોજ પૂજા કરનારા, અમે તીર્થનો અભ્યદય(=પ્રભાવના) કરીએ છીએ એમ કહે છે. તે ગૌતમ! એમની આ પૂજાને વચનથી પણ સાચી ન માનવી. (અધ્યયન-૩).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org