________________
૧૫૪ ,
સંબોધ પ્રકરણ બાલવિધવા અને વ્યભિચારિણી એવી બ્રાહ્મણપુત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ગર્ભને મારવા-પાડવા ક્ષાર-ચૂર્ણના ઉપાયો કર્યા. એ ઉપાયોના કારણે અનેક વ્યાધિઓથી ઘેરાયેલો, ગળત કોઢવાળો અને કૃમિથી ભક્ષણ કરાતો તે ગર્ભમાંથી બહાર નીકળ્યો. લોકોથી નિંદાતો, સુધા આદિથી પીડા પામેલો અને દુઃખી તે સાતસો વર્ષ, બે માસ અને ચાર દિવસ જીવ્યો. (૧૨) પછી મરીને વ્યંતરમાં ઉત્પન્ન થયો. (૧૩) પછી કતલખાનાનો અધિપતિ મનુષ્ય થયો. (૧૪) પછી સાતમી નરકમાં ગયો. (૧૫) પછી ઘાંચીના ઘરે બળદ થયો. ઘાંચીમાં ફેરવાતા એવા તેની ખાંધ પાકી. આથી ઘરના માલિકે તેનો ત્યાગ કર્યો. કાગડા, કૃમિ, કૂતરા વગેરેથી ખવાતો તે ૨૯ વર્ષનું આયુષ્ય ભોગવીને મૃત્યુ પામ્યો. (૧૬) પછી બહુરોગી શ્રેષ્ઠિપુત્ર થયો. વમન-વિરેચન આદિ દુઃખોથી જ એનો મનુષ્યભવ પસાર થયો. (૧૭) આ પ્રમાણે ચૌદરાજલોક પ્રમાણવાળા લોકને જન્મ-મરણોથી પૂર્ણ કરીને અનંતકાળે પશ્ચિમમહાવિદેહમાં મનુષ્ય થયો. ત્યાં લોકોના અનુસરણથી તીર્થકરને વંદન કરવા માટે ગયો અને પ્રતિબોધ પામ્યો. અંતે આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં તેવીસમાં શ્રી પાર્શ્વનાથ જિનના કાળે સિદ્ધ થયો.
શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે ભગવંત ! શાના કારણે આણે આવું દુઃખ અનુભવ્યું? ભગવાને કહ્યું છે ગૌતમ ! આગમમાં ઉર્મ-અપવાદ બને છે ઇત્યાદિ જે કહ્યું તેના કારણે તે આવું દુઃખ પામ્યો. જો કે પ્રવચનમાં ઉત્સર્ગ અને અપવાદ તથા અનેકાંતની પ્રરૂપણા કરાય છે, તો પણ અષ્કાયપરિભોગ, તેજસ્કાય પરિભોગ અને મૈથુનસેવન આ ત્રણનો એકાંતે નિષેધ છે. આ પ્રમાણે સૂત્રના ઉલ્લંઘનથી ઉન્માર્ગ પ્રગટ કર્યો, તેનાથી આજ્ઞાભંગ કર્યો, અને તેથી અનંતસંસારી થયો.
શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે ભગવંત! તે સાવઘાચાર્યે મૈથુનસેવન કર્યું હતું? ભગવાને જવાબ આપ્યો છે ગૌતમ! તેણે મૈથુનસેવન કર્યું ન હતું, અને કર્યું પણ હતું. કારણ કે વંદન કરતી સાધ્વીએ સ્પર્શ કર્યો ત્યારે તેણે ચરણોને સંકોચી લીધા નહિ.
શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે ભગવંત! તેણે તીર્થંકરનામકર્મ ઉપાર્જિત કર્યું હતું અને સંસાર માત્ર એક જ ભવ બાકી રહે તેટલો ટૂંકો કરી નાખ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org