________________
સંબોધ પ્રકરણ
મંગલ– કોઇ પણ ઇષ્ટ કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં ઇષ્ટદેવને નમસ્કાર કરવો એવો શિષ્ટ પુરુષનો આચાર છે. તથા શુભ કાર્યોમાં ઘણાં વિઘ્નો આવવાનો સંભવ છે. ઇષ્ટદેવને નમસ્કાર કરવાથી વિઘ્નોનો નાશ થાય છે. ઇષ્ટદેવને નમસ્કાર કરવો એ મંગલ છે. અહીં ગ્રંથકારે શિષ્ટાચારનું પાલન કરવા અને વિઘ્નોનો નાશ કરવા માટે ગાથામાં મંગલ કર્યું છે.
૨
પૂર્વપક્ષ— ગ્રંથના પ્રારંભમાં વાચિક નમસ્કાર રૂપ મંગલ વાક્યનો ઉલ્લેખ કર્યા વિના જ માનસિક નમસ્કાર, તપશ્ચર્યા આદિ અન્ય મંગલથી જ વિઘ્નોનો વિનાશ થઇ જવાથી ઇષ્ટકાર્યની સિદ્ધિ થઇ જશે. આથી ગ્રંથનું કદ વધારનારા વાચિક નમસ્કારની જરૂર નથી.
ઉત્તરપક્ષ— વાત સત્ય છે. માનસિક નમસ્કાર આદિથી વિઘ્નવિનાશ થઇ જતો હોવા છતાં જો ગ્રંથના પ્રારંભમાં ઇષ્ટદેવનમસ્કારરૂપ મંગલવાક્યનો ઉલ્લેખ ન કરવામાં આવે તો કોઇક પ્રમાદી શિષ્ય ઇષ્ટદેવનમસ્કારરૂપ મંગલ કર્યા વિના જ ગ્રંથનું અધ્યયન, શ્રવણ વગેરે કરે. આથી તેને વિઘ્નો આવવાનો સંભવ હોવાથી તેની તે ગ્રંથમાં પ્રવૃત્તિ ન થાય. ગ્રંથમાં મંગલ વાક્યનો ઉલ્લેખ કરવાથી પ્રમાદી શિષ્ય પણ મંગલવાક્યના પાપૂર્વક અધ્યયન આદિ કરે. એ મંગલવચનથી થયેલા દેવ સંબંધી શુભભાવથી વિઘ્નો દૂર થવાથી શાસ્ત્રમાં નિર્વિઘ્ને પ્રવૃત્તિ થાય છે. ગ્રંથના પ્રારંભમાં વાચિક નમસ્કાર કરવાથી બીજો લાભ એ થાય છે કે આ શાસ્ત્ર અમુક દેવે કહેલા આગમને અનુસરનારું છે માટે ઉપાદેય છે એવી બુદ્ધિ થાય છે. આથી શિષ્ય તેમાં પ્રવૃત્તિ કરે છે. આમ શિષ્યની પ્રવૃત્તિ માટે પણ ગ્રંથના પ્રારંભમાં મંગલવાક્યનો ઉલ્લેખ કરવાની જરૂર છે. કહ્યું છે કે—
मंगलपुव्वपवत्तो, पमत्तसीसोवि पारमिह जाई ।
सत्थे विसेसणाणा, तु गोरवादिह पयट्टेजा ॥ १ ॥
“ગ્રંથના પ્રારંભમાં મંગલવચનના ઉલ્લેખથી પ્રમાદી શિષ્ય પણ મંગલપૂર્વક પ્રવૃત્તિ કરીને શાસ્ત્રના પારને પામે છે, તથા વિશેષ પ્રકારના (આ શાસ્ત્ર અમુક દેવે કહેલ આગમને અનુસરનારું છે એવા) જ્ઞાનથી ગૌરવપૂર્વક શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org