________________
૧૪૮
- સંબોધ પ્રકરણ વિશેષાર્થ અહીં ભાવાર્થ આ છે–કોઈ પણ ગુણમાં વારંવાર મનવચન-કાયાના યોગોને જોડવાથી એ યોગોનો અભ્યાસ થાય છે. યોગોના અભ્યાસથી એ ગુણોની વૃદ્ધિ થવા સાથે અન્ય ગુણો પણ પ્રગટે છે. આથી સમય જતાં અનેક ઉત્કૃષ્ટ મહાન ગુણો પ્રગટે છે. આમ ગુણમાં યોગોના અભ્યાસથી ઉત્કૃષ્ટ અન્ય ગુણો પ્રગટતા હોવાથી એ યોગો ઉત્કૃષ્ટ મહાન ગુણોના સમૂહથી પારમાર્થિક સાચા થાય છે. જે યોગોથી ગુણો પ્રગટે તે યોગો સાચા છે. જે યોગોથી ગુણો ન પ્રગટે તે યોગો સાચા નથી. માટે યોગોને સાચા બનાવવા હોય તો ગુણસંપન્ન જીવોએ કોઈ પણ ગુણમાં યોગોને જોડવા જોઈએ. એમ અહીં સૂચન કર્યું છે. પૂજા એ ગુણ છે. તેથી એ ગુણમાં યોગોને જોડવાથી અનેક ઉત્કૃષ્ટ મહાન ગુણો પ્રગટે છે, એવો અહીં ભાવાર્થ છે. (૨૭૪)
भावत्थओ मुणीणं, जहुत्तआणापराण भावणया। दव्वत्थओवि पढमं, गिहीण भावत्थओ देसा ॥ २७५ ॥ भावस्तवो मुनीनां यथोक्ताज्ञापराणां भावनया। દ્રવ્યસ્તવોડપિ પ્રથમ હિંગ પાવતવો તેશાત્ II ર૭, II . ર4
ગાથાર્થ– શાસ્ત્રોક્ત આજ્ઞાના પાલનમાં તત્પર મુનિઓને મુખ્યપણે ભાવસ્તવ હોય, ભાવનાથી દ્રવ્યસ્તવ પણ હોય, ગૃહસ્થોને મુખ્યતયા દ્રવ્યસ્તવ હોય. દેશથી ભાવસ્તવ પણ હોય.
વિશેષાર્થ– ચારિત્રનો સ્વીકાર ભાવસ્તવ છે. પુષ્પપૂજા વગેરે ભાવસ્તવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ છે. સાધુઓને મુખ્યપણે ભાવસ્તવ હોય છે. આમ છતાં ભાવનાથી દ્રવ્યસ્તવ હોય છે. “અરિહંત ચેઇઆણં” સૂત્રમાં સાધુને પણ પૂજન-સત્કાર નિમિત્તે કાઉસ્સગ્ગ કહ્યો છે. પૂજન અને સત્કાર દ્રવ્યસ્તવ છે. પુષ્પમાળા આદિથી થતી પૂજા પૂજન છે. શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી થતી પૂજા સત્કાર છે. શાસ્ત્રમાં સાધુને દ્રવ્યસ્તવરૂપ પૂજન-સત્કાર નિમિત્તે કાઉસ્સગ્ન કરવાનું કહ્યું હોવાથી સાધુઓને ભાવના દ્વારા=અનુમોદના દ્વારા દ્રવ્યસ્તવ પણ હોય. ગૃહસ્થોને મુખ્યપણે દ્રવ્યસ્તવ હોય. આમ છતાં દેશવિરતિના પાલનથી અલ્પ ભાવસ્તવ પણ હોય. તથા ચારિત્રની ભાવના અને અનુમોદના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org