________________
૧૪૭
. ર૭રૂ
દેવ અધિકાર મૈત્રી આદિ ભાવ પ્રગટે છે. માટે અહીં પૂજાને અગણિત કરુણાના નિધાન તુલ્ય કહી છે. (૨૭૨)
कल्याणफलोवेया, चरित्तभावंमि अत्तभावपरा।। पवयणसारा परमा, भावत्थयनामनिम्माणा ॥२७३ ॥ कल्याणफलोपेता चारित्रभावे आत्मभावपरा । प्रवचनसारा परमा भावस्तवनामनिर्माणा ॥ २७३ ॥
ગાથાર્થ- ચારિત્રભાવમાં થતી પૂજા આત્મકલ્યાણરૂપ ફળથી યુક્ત, આત્મભાવમાં તત્પર, પ્રવચનના સારવાળી અને ઉત્કૃષ્ટ છે. આ પૂજાનું ભાવસ્તવ એવું નામ છે.
વિશેષાર્થ– ચારિત્રભાવમાં થતી પૂજાથી આત્મકલ્યાણ વિશેષરૂપે થાય છે. માટે અહીં આત્મકલ્યાણરૂપ ફળથી યુક્ત એમ કહ્યું છે. ચારિત્રી સાધુ પોતાના સ્વભાવમાં રમનારો હોય, આથી અહીં આત્મભાવમાં તત્પર એમ કહ્યું છે. પરમાર્થથી ચારિત્ર સારભૂત છે. દર્શન-જ્ઞાન તો ચારિત્રના અંગ છે. મોક્ષાર્થીએ સારને મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ. (પંચવસ્તુ-૪૮૭) આમ ચારિત્ર સારભૂત છે. માટે અહીં “પ્રવચનના સારવાળી” એમ કહ્યું છે.
અહીં ક્રમશઃ ત્રણ પૂજા કહી છે. ૨૭૧મી ગાથામાં માર્ગાનુસારી એવા અપુનબંધક વગેરે જીવોની પૂજા કહી છે. ૨૭રમી ગાથામાં સમ્યગ્દષ્ટિની પૂજા કહી છે. ૨૭૩મી ગાથામાં ચારિત્રીની પૂજા કહી છે. માર્ગાનુસારીની પૂજાથી સમ્યગ્દષ્ટિની પૂજા ઉત્તમ છે. સમ્યગ્દષ્ટિની પૂજાથી ચારિત્રીની પૂજા ઉત્તમ છે. (૨૭૩)
जत्थ गुणे जावइया, जोया जुंजिज्जए गुणड्डेहि। अब्भत्थजोगजुत्ता, गुरुगुरुगुणगणब्भूया ॥२७४ ॥ यत्र गुणे यावतिका योगा योज्यन्ते गुणाढ्यैः । અગતયોજયુpl ગુરુકુળમૂતા: I ર૭૪ I ... ર૭૪
ગાથાર્થ– ગુણસંપન્ન જીવોથી જે ગુણમાં જેટલા યોગો જોડાવાય છે, અભ્યસ્ત (=વારંવાર જોડાયેલા) યોગોથી યુક્ત તેટલા યોગો ઉત્કૃષ્ટ મહાન ગુણોનાં સમૂહથી પારમાર્થિક થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org