________________
દેવ અધિકાર
૧૪૩
ગુણસ્થાને રહેલા તથા સિદ્ધ જીવો દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની હિંસાથી રહિત છે. (તત્ત્વાર્થાધિગમ સૂત્ર અ.૭ સૂત્ર-૮ના વિવેચનમાંથી ઉદ્ધૃત)
ઋજુસૂત્રનય બાહ્યહિંસાની ક્રિયાના કાળમાં પ્રાણાતિપાતની ક્રિયા માનતો નથી, પરંતુ હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાતની ક્રિયા માને છે. આથી જ એકેન્દ્રિય જીવોમાં હિંસાની પરિણતિ હોવાને કારણે પ્રાણાતિપાતની ક્રિયા ઋજુસૂત્રનય સ્વીકારે છે, અને અપ્રમત્ત મુનિથી કોઇના પ્રાણનો નાશ થાય તો પણ ત્યાં પ્રાણાતિપાતની ક્રિયા ઋજુસૂત્રનય માનતો નથી અને તેમાં યુક્તિ આપે છે કે પુણ્ય અને પાપકર્મના ઉપાદાન અને અનુપાદાનનું અધ્યવસાયનું અનુરોધીપણું છે, પણ ક્રિયાનું અનુરોધીપણું નથી. અર્થાત્, તમારો અધ્યવસાય હોય તેને અનુરૂપ જ પુણ્ય અને પાપકર્મનું ઉપાદાન અને અનુપાદાન થાય છે, પરંતુ જેવી બાહ્ય આચરણા હોય તેને અનુરૂપ પુણ્ય-પાપકર્મ બંધાતું નથી. અને તેની જ પુષ્ટિ કરતાં કહે છે કે, અન્યથાપરિણતિમાં નહિ; અર્થાત્ બાહ્ય રીતે કદાચ તેવા પ્રકારની ક્રિયા દેખાતી હોય, પરંતુ પરિણતિ અન્યથા વર્તતી હોય, તો તે બાહ્ય ક્રિયાને અનુસારે પુણ્ય-પાપ બંધાતું નથી. આથી જ અપ્રમત્ત મુનિને કદાચ બાહ્ય ક્રિયાથી હિંસાની પ્રાપ્તિ હોય તો પણ અન્યથાપરિણતિ હોવાને કારણે, હિંસાને અનુકૂળ પાપકર્મનું ઉપાદાન થતું નથી. તેથી ઋજુસૂત્રનય હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાતની ક્રિયા કહે છે.
અહીં વિશેષ એ છે કે, વ્યવહારનય ક્રિયાને અનુસારે પુણ્ય અને પાપકર્મનો બંધ સ્વીકારે છે. તેથી વ્યવહારનયના નિરાકરણ માટે ઋજુસૂત્રનય કહે છે કે, અધ્યવસાયને અનુરૂપ પુણ્ય કે પાપકર્મનો બંધ થાય છે; તેથી વ્યવહારનયને માન્ય પુણ્ય કે પાપકર્મની ક્રિયા હોવા છતાં અન્યથા પરિણતિ હોય, અર્થાત્ પુણ્ય કે પાપની ક્રિયાથી વિપરીત પ્રકારનો અધ્યવસાય હોય, તો પુણ્ય કે પાપને અનુરૂપ ક્રિયા હોવા છતાં પણ કર્મબંધ થતો નથી.
નિશ્ચયનયને અવલંબન કરનારા ઋષિઓને બાહ્ય આચરણા પ્રમાણભૂત નથી, પરંતુ પારિણામિકભાવ અર્થાત્ શુદ્ધ-અશુદ્ધ ચિત્તના પરિણામરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org