________________
દેવ અધિકાર
૧૪૧ દ્રવ્યહિંસા છે. જયાં પ્રાણવિયોગ નથી, પણ પ્રમાદ છે, ત્યાં કેવળ ભાવહિંસા છે. અહીં ભાવહિંસાની મુખ્યતા છે. પ્રમાદ અસાવધાની એ ભાવહિંસા છે. આથી અહિંસાના પાલન માટે સાધકે સદા અપ્રમત્ત સાવધાન રહેવું જોઈએ.
પ્રશ્ન- ઉપરોક્ત ત્રણ પ્રકારની હિંસામાં કયા કયા જીવોને કઈ કઈ હિંસા સંભવે છે?
ઉત્તર- (૧) જ્યારે કોઈ જીવ પ્રાણવધ કરવા પ્રયત્ન કરે પણ તેમાં નિષ્ફળ નીવડે ત્યારે માત્ર ભાવહિંસા હોય છે. દા.ત. શિકારી હરણને તાકીને બાણ મારે, પણ હરણને બાણ ન વાગવાથી હરણ બચી જાય. અહીં દ્રવ્યપ્રાણનો વિયોગ ન હોવાથી દ્રવ્યહિંસા નથી. પણ પ્રમાદકજીવ રક્ષાના પરિણામનો અભાવ હોવાથી ભાવહિંસા છે. એ પ્રમાણે અંધારામાં દોરડાને સર્પ માની મારવાનો પ્રયત્ન કરવામાં માત્ર ભાવ હિંસા થાય છે. આ બે દષ્ટાંતોમાં હિંસા માટે કાયાથી પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળતા મળવાથી માત્ર ભાવહિંસા થઈ એ વિચાર્યું. જ્યારે કોઈ ક્રોધાવેશમાં આવીને અન્યને ગમે તેવાં હિંસાત્મક વચનો બોલે છે, મૃત્યુ માટે શ્રાપ આપે છે, ત્યારે પણ ભાવહિંસા થાય છે. હજી આગળ વધી વિચારીએ તો જણાશે કે હિંસા માટે કાયિક પ્રયત્ન અને વચન પ્રયોગ વિના માત્ર મનમાં હિંસાના વિચારથી ભાવહિંસા થાય છે. જેમ કે તંદુલ મસ્ય. આ મત્સ્ય તંદુલના (ચોખાના) દાણા જેવડો હોય છે. માટે તેને તંદુલ મત્સ્ય કહેવામાં આવે છે. તે મહામત્યેની આંખની પાંપણમાં ઉત્પન્ન થાય છે. મહામત્ય કેટલાંક માછલાં ગળી જાય છે ત્યારે તેની સાથે થોડુંક પાણી પણ તેના મુખમાં દાખલ થઈ જાય છે. આ પાણીને તે બહાર કાઢે છે ત્યારે પાણીની સાથે દાંતોની પોલાણમાંથી કેટલાંક નાનાં નાનાં માછલાં પણ બહાર નીકળી જાય છે. આ જોઈને તંદુલ મત્સ્ય વિચારે છે કે હું મહામત્સ્ય હોઉં તો એક પણ માછલાને આવી રીતે નીકળવા ન દઉં, સઘળાં માછલાઓનું ભક્ષણ કરી જાઉં. આવા દારુણ હિંસાના અધ્યવસાયથી તે સતત ભાવહિંસા કર્યા કરે છે, અને માત્ર અંતર્મુહૂર્ત જેટલા આયુષ્યમાં સાતમી નરકનું આયુષ્ય બાંધે છે. હજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org