________________
સંબોધ પ્રકરણ
ઉત્તર– પ્રાણના વિયોગથી આત્માનો નાશ થતો નથી, પણ આત્માને દુઃખ અવશ્ય થાય છે. પ્રાણના વિયોગથી આત્માને દુઃખ થાય છે માટે જ પ્રાણ વિયોગથી અધર્મ=પાપ લાગે છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાણવિયોગ એ જ અધર્મ=પાપ કે હિંસા છે એમ નથી, કિન્તુ અન્યને દુઃખ આપવું એ પણ અધર્મ=હિંસા છે. મુખ્ય હિંસા પણ આ જ છે. પ્રાણ વિયોગ એ ગૌણ હિંસા છે. શાસ્ત્રના શબ્દોમાં કહીએ તો બીજાને દુઃખ આપવું એ નિશ્ચય હિંસા છે અને પ્રાણવિયોગ એ વ્યવહાર હિંસા છે. વ્યવહાર હિંસા નિશ્ચય હિંસાનું કારણ છે માટે તેનાથી પાપ લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો દુ:ખ આપવું એ ભાવહિંસા છે અને પ્રાણવિયોગ દ્રવ્યહિંસા છે. બીજી અપેક્ષાએ દ્રવ્ય-ભાવ હિંસા—
૧૪૦
આત્માના જ્ઞાનાદિ ગુણો ભાવપ્રાણ છે. વિષય-કષાય આદિ પ્રમાદથી આત્માના ગુણોનો ઘાત પણ હિંસા છે. આત્માના ગુણોનો ઘાત એ ભાવહિંસા છે. આત્માના ગુણોનો ઘાત રૂપ ભાવહિંસાની અપેક્ષાએ દ્રવ્યપ્રાણોનો ઘાત એ દ્રવ્યહિંસા છે. અહીં પણ ભાવહિંસા મુખ્ય છે. આ બંને પ્રકારની હિંસાના સ્વ અને પર એમ બે ભેદ છે. પોતાના આત્માના ગુણોનો ઘાત એ સ્વ ભાવહિંસા અને પરના આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બનવું એ પર ભાવહિંસા છે, અર્થાત્ પોતે રાગ-દ્વેષ કરવા એ સ્વ ભાવહિંસા છે. બીજાને રાગ-દ્વેષ થવામાં નિમિત્ત બનવું એ પર ભાવહિંસા છે. ઝેર આદિથી પોતાના દ્રવ્યપ્રાણોનો ઘાત એ સ્વદ્રવ્યહિંસા અને પરના દ્રવ્ય પ્રાણોનો ઘાત કરવો એ પર દ્રવ્યહિંસા છે.
પર દ્રવ્યહિંસાના ત્રણ ભેદો—
અન્યના દ્રવ્ય પ્રાણના ધાત રૂપ હિંસાને બીજી રીતે વિચારતાં હિંસાના દ્રવ્ય, ભાવ અને દ્રવ્ય-ભાવ એમ ત્રણ ભેદો છે. આ સૂત્રમાં કરેલી હિંસાની વ્યાખ્યા દ્રવ્ય-ભાવ હિંસાની છે. કેવળ પ્રાણ વ્યપરોપણ=પ્રાણવધ એ દ્રવ્ય હિંસા છે, કેવળ પ્રમત્તયોગ=અસાવધાની એ ભાવ હિંસા છે. પ્રમાદ અને પ્રાણવિયોગ એ બંનેનો સમયોગ એ દ્રવ્ય-ભાવ હિંસા છે. જ્યાં પ્રમાદના યોગે પ્રાણવિયોગ થાય છે ત્યાં દ્રવ્ય અને ભાવ એ ઉભય હિંસા છે. જ્યાં પ્રમાદ નથી છતાં પ્રાણવિયોગ થઇ જાય, ત્યાં કેવળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org