SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ અધિકાર ૧૩૯ વિશેષાર્થ– ભક્તિથી પૂર્ણ હૃદયવાળા અને પૂજામાં યતનાવાળા શ્રાવકોથી જિનપૂજામાં થતી સ્વરૂપહિંસાથી અહિંસાનું ફળ મળે છે. આ વિષે અધ્યાત્મસાર અધિકાર-૧રમાં કહ્યું છે કે सतामस्याश्च कस्याचिद्, यतनाभक्तिशालिनाम् । अनुबन्धो ह्यहिंसाया, जिनपूजादिकर्मणि ॥ ४८ ॥ “યતના અને ભક્તિથી યુક્ત સમ્યગ્દષ્ટિ શ્રાવકોની જિનપૂજા આદિમાં થઈ જતી કોઈક પ્રકારની હિંસામાં અનુબંધ અહિંસાનો થાય છે.” (૨૬૪) णिच्छयववहारगया, भव्वजणाणं चरित्तजुत्ताणं । मणपल्हायणजणणी, हिंसाऽहिंसा विणिहिट्ठा ॥ २६५ ॥ निश्चयव्यवहारगता भव्यजनानां चारित्रयुक्तानाम् । મન:પ્રહાદનનનની હિંસાઈહિંસા વિનિર્વિષ્ટા II રદ્દ In ... રઘવ ગાથાર્થ શાસ્ત્રમાં જણાવેલી નિશ્ચયહિંસા-અહિંસા અને વ્યવહારહિંસા-અહિંસા ચારિત્રસંપન્ન ભવ્યલોકોના (=સાધુઓના) માનસિક આનંદને ઉત્પન્ન કરે છે. વિશેષાર્થ– હિંસાની વ્યાખ્યાप्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ॥ तत्त्वार्थाधिगम सूत्र-७-८ ॥ પ્રમાદના યોગે પ્રાણનો વિયોગ એ હિંસા છે. પાંચ ઇંદ્રિયો, મનોબળ, વચનબળ અને કાયબળ એ ત્રણ બળો, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રકારના દ્રવ્ય પ્રાણ છે. એ પ્રાણનો પ્રમાદથી વિયોગ કરવો તે હિંસા. દ્રવ્ય-ભાવહિંસા પ્રશ્ન- આ પ્રાણો આત્માથી જુદા છે. પ્રાણોના વિયોગથી આત્માની વિર તો નથી. તો પછી પ્રાણોના વિયોગમાં અધર્મ=પાપકેમ લાગે છે? ૧. પ્રમાદનો અર્થ વિશાળ છે. પણ અહીં મુખ્યતયા જીવદયા પરિણામના અભાવરૂપ પ્રમાદ વિવક્ષિત છે. પ્રમાદના વિસ્તૃત અર્થ માટે જુઓ તત્ત્વાર્થાધિગમ સૂત્ર, અ.૮, સૂ.૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy