________________
૧૧૭
દેવ અધિકાર
એ પ્રમાણે જિનેશ્વરના ગુણોના જ્ઞાન વિના જિનેશ્વર પ્રત્યે જેટલી શ્રદ્ધા થાય તેના કરતાં જિનેશ્વરોના ગુણોનું જ્ઞાન થાય ત્યારે અનંતગણી શ્રદ્ધા વધી જાય છે. માટે જ પૂ. દેવચંદ્રજીએ વીરજિન સ્તવનમાં કહ્યું છે કે
સ્વામીગુણ ઓળખી સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે. જેમ જેમ શ્રદ્ધા વધે છે તેમ તેમ પૂજનની વિધિમાં આદર વધતો જાય છે. માટે અહીં “વિધિથી ઉત્તમ” અને “આદરવાળું” એમ કહ્યું છે. દેવના ગુણોનું વાસ્તવિક જ્ઞાન થતાં પોતાનો આત્મા દેવ બને એવા ભાવથી જ પૂજન થાય છે, નહિ કે ભોગસુખોની પ્રાપ્તિ વગેરે ભૌતિક ભાવથી. માટે અહીં “દેવભાવને અનુસરનારું” એમ કહ્યું છે. (૨૦૬)
एत्तो चरित्तलाभो, होइ लहुं सयलकम्मनिद्दलणो। ता एत्थ सम्ममेव हि, पयट्टियव्वं सुदिट्ठीहि ॥२०७॥ एतस्मात् चारित्रलाभो भवति लघु सकलकर्मनिर्दलनः । તસ્માત્ર સીવ પ્રિવર્તિતત્રં સુefઈઃ ૨૦૭II ૨૦૭ ગાથાર્થ– આભોગદ્રવ્યસ્તવથી જલદી સઘળાં કર્મોનો નાશ કરનાર ચારિત્રલાભ થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવોએ આભોગ દ્રવ્યસ્તવમાં જ સારી રીતે પ્રયત્ન કરવો જોઇએ. (૨૦૭).
पूयाविहिविरहाओ, अपरित्राणाओ जिणगयगुणाणं । सुहपरिणामकयत्ता, एसो णाभोगदव्वथओ ॥२०८ ॥ . पूजाविधिविरहादपरिज्ञानात् जिनगतगुणानाम् । શુપરિંગમતવાલોડનાખો દિવ્યસ્તવઃ II ૨૦૮ II ... ૨૦૮
ગાથાર્થ પૂજાવિધિના અભાવથી જિનમાં રહેલા ગુણોનું જ્ઞાન ન હોવાથી અને સ્તવ શુભ પરિણામથી કરાયેલ હોવાથી અનાભોગ દ્રવ્યસ્તવ જાણવો.
વિશેષાર્થ– આ વિષયમાં દુર્ગતા નારીનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેનામાં વિધિનું જ્ઞાન નહોવાથી વિધિનો અભાવ હતો. જિનના ગુણોનું વિશેષજ્ઞાન પણ ન હતું. આમ છતાં તેને પૂજા કરવાનો શુભ પરિણામ હતો. (૨૦૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org