________________
સંબોધ પ્રકરણ
૧૧૬
પ્રવૃત્તિધર્મ છે. આમાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા નથી. જેટલા અંશે નિવૃત્તિધર્મ થાય તેટલા અંશે નિવૃત્તિરૂપ સ્તવ છે. જિનપૂજા વગેરે ધર્મમાં પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિરૂપ સ્તવ છે. (૨૦૫)
देवगुणपरिन्नाणा, तब्भावाणुगयमुत्तमं विहिणा । आयरसारं जिणपूयणेण आभोगदव्वथओ ॥ २०६ ॥ देवगुणपरिज्ञानात् तद्भावानुगतमुत्तमं विधिना । आदरसारं जिनपूजनेनाभोगद्रव्यस्तवः ॥ २०६ ॥
२०६
ગાથાર્થ દેવના ગુણોનું જ્ઞાન થવાથી દેવભાવને અનુસરનારું, વિધિથી ઉત્તમ, આદરવાળું જિનપૂજન આભોગ દ્રવ્યસ્તવ છે,
વિશેષાર્થ– દેવભાવને અનુસરનારું એટલે દેવના પૂજનથી પોતે દેવભાવને પામે=દેવ બને એવી ભાવનાવાળું. અનાભોગ દ્રવ્યસ્તવમાં જેટલી શ્રદ્ધા હોય તેના કરતા આભોગ દ્રવ્યમાં અનંતગણી હોય છે.
કોઇ વસ્તુનું જ્યારે અજ્ઞાન હોય છે-તેના ગુણોનું વિશેષ જ્ઞાન હોતું નથી ત્યારે તેના ઉપર સામાન્ય શ્રદ્ધા હોય છે. તે જ વસ્તુ જ્ઞાત બને છે–તેના ગુણોનું વિશેષ જ્ઞાન થાય છે ત્યારે તેના વિષે જે શ્રદ્ધા હતી તેના કરતા અનંતગણી શ્રદ્ધા વધી જાય છે.
આ હકીકતને આપણે દૃષ્ટાંતથી વિચારીએ. રોગીને રોગ દૂર કરનારા ઔષધનું નામ સાંભળતાં એ ઔષધ પ્રત્યે શ્રદ્ધા જાગે છે, પણ જ્યારે એ ઔષધનું વિશેષ જ્ઞાન મેળવે છે, તેમાં રહેલી અદ્ભૂત શક્તિનું ચોક્કસ જ્ઞાન થાય છે, આના સેવન વિના મારો રોગ નહિ જાય એવી ચોક્કસ ખાત્રી થાય છે, ત્યારે તેની શ્રદ્ધા કઇ ગણી વધી જાય છે. હીરાના હાર પ્રત્યે બાળકને જે શ્રદ્ધા હોય છે તેનાથી અનંતગણી શ્રદ્ધા મોટા માણસને હોય છે. એકાએક રત્નની પ્રાપ્તિ થતાં તે રત્ન પ્રત્યે શ્રદ્ધા જાગે છે પણ તેની પરીક્ષા કરતાં તેના ગુણોનું જ્ઞાન થતાં આ તો જીવનપર્યંત દરિદ્રતાને ફેડનાર ચિંતામણિ રત્ન છે એવી ખબર પડતાં તેના પ્રત્યે અનંતગણી શ્રદ્ધા પ્રગટે છે. બાળપોથીમાં ભણતા વિદ્યાર્થીને અભ્યાસ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે, તેનાથી કઇ ગણી શ્રદ્ધા કોલેજના વિદ્યાર્થીને હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org