________________
૧૧૫
દેવ અધિકાર
ગાથાર્થ-જિનપૂજામાં વિષયોનો ત્યાગ થવાથી અંતરમાં વીતરાગભાવ સ્ફરે છે, તેથી આત્મા અહિંસાના ભાવમાં રહે છે, તેથી જિનપૂજામાં હિંસા નથી. (૨૦૩)
जत्थ य अहिंसभावो, तत्थ य सुहजोयकारणं भणियं । अणुबंधहेउरहिओ, वट्टइ इह तेण नो हिंसा ॥२०४॥ यत्र चाहिंसाभावस्तत्र च शुभयोगकरणं भणितम् । અનુવજહેતુ હિતો વર્તત ફુદ તેન નો હિંસા / ર૦૪ / ૨૦૪ ગાથાર્થ– જ્યાં અહિંસાનો ભાવ હોય ત્યાં શુભ યોગનું કારણ હોય, અર્થાત્ જેનામાં અહિંસાનો ભાવ હોય તેના મન-વચન-કાયા એ ત્રણ યોગો શુભ હોય છે એમ જિનોએ કહ્યું છે. પૂજક અનુબંધહિંસા અને હતુહિંસાથી રહિત હોય છે. તેથી પૂજામાં હિંસા નથી.
વિશેષાર્થ– હિંસાના અનુબંધહિંસા વગેરે ત્રણ ભેદોનું વર્ણન ૧૧૫મી ગાથાના વિશેષાર્થમાં કરવામાં આવ્યું છે. (૨૦૪)
आभोगाणाभोग-भेओ दव्वत्थओ दुहा होइ। णिव्वित्तिपवित्तीहि, दुहा वि चउहा मुणेयव्वो ॥२०५ ॥ अनाभोगाभोगभेदो द्रव्यस्तवो द्विधा भवति । નિવૃત્તિ-પ્રવૃત્તિપ્યાં દિધાઈ ચતુધ જાતવ્ય: ( ર૧ / ર૦૧ 'ગાથાર્થ– અનાભોગ અને આભોગ એ બે ભેદથી દ્રવ્યસ્તવ બે પ્રકારે છે. તથા નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે ભેદથી પણ બે પ્રકારે છે. આમ દ્રવ્યસ્તવ ચાર પ્રકારનો જાણવો. ' વિશેષાર્થ– અનાભોગ અને આભોગ એ બે પ્રકારના દ્રવ્યસ્તવનું વર્ણન ગ્રંથકાર હવે પછી તરત જણાવશે. નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે દ્રવ્યસ્તવનો અર્થ આ પ્રમાણે છે– ધર્મ નિવૃત્તિરૂપ અને પ્રવૃત્તિરૂપ એમ બે પ્રકારે છે. પચ્ચકખાણપૂર્વક હિંસા આદિ પાપથી નિવૃત્તિ એ નિવૃત્તિધર્મ છે. જેમ કે શ્રાવક માટે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વગેરે નિવૃત્તિધર્મ છે. જેમાં પાપથી નિવૃત્તિ ન હોય અને ધર્મમાં પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિધર્મ છે. જેમ કે શ્રાવક માટે જિનપૂજા, ગુરુવંદન વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org