________________
૧૧૨
સંબોધ પ્રકરણ છે. કારણ કે મનથી સામગ્રી મેળવે છે. આ ત્રણ પૂજાનાં અનુક્રમે સમતભદ્રા, સર્વમંગલા અને સર્વસિદ્ધિફળા એ ત્રણ નામો પણ છે. આ નામો પણ યથાર્થ (=નામ પ્રમાણે ફળ આપનારાં) છે. (તે આ પ્રમાણેસર્વ પ્રકારનું કલ્યાણ કરે તે સમંતભદ્રા. સર્વ પ્રકારનું મંગલ કરે તે સર્વમંગલા સર્વ પ્રકારની સિદ્ધિરૂપ ફળ જેનાથી થાય તે સર્વસિદ્ધિફળા.)
પહેલી વિનોપશમની પૂજા પહેલા યોગાવંચકથી સમ્યગ્દષ્ટિને હોય છે. બીજી અભ્યદય પ્રસાધની પૂજા બીજા ક્રિયાવચકયોગથી ઉત્તરગુણધારી શ્રાવકને હોય છે. ત્રીજી નિર્વાણ સાધની પૂજા ત્રીજા ફલાવંચક યોગથી પરમશ્રાવકને હોય છે.
પ્રથમકરણભેદથી (=ચરમયથાપ્રવૃત્તિકરણથી) ગ્રંથિદેશે આવેલા જીવને આ પૂજા ધર્મમાત્ર ફળવાળી હોય છે. અર્થાત આ પૂજાના પ્રભાવથી ભવિષ્યમાં તેને સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રાપ્ત થશે. કારણ કે તેને સદ્યોગ વગેરેનો સદ્ભાવ છે, પણ અનુબંધની પ્રાપ્તિ થતી નથી. આ વિશેષતા વિશતિવિશિકા ગ્રંથની પૂજાવિશિકામાં જણાવેલ છે. (૧૯૭) (ષોડશક-૯/૧૦) जिणभवणबिंबठावण-जत्तापूयाइ सुत्तओ विहिणा। दव्वस्थउत्ति नेयं, भावत्थयकारणत्तेण ॥१९८ ॥ जिनभवनबिम्बस्थापनयात्रापूजादि सूत्रतो विधिना। દ્રવ્યસ્તવ કૃતિ રેય માવતવારત્વેન ૨૬૮ .... ...૨૨૮
ગાથાર્થ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવતાં જિનભવન, જિનબિંબ, જિનબિંબની પ્રતિષ્ઠા, અષ્ટાલિકા મહોત્સવરૂપ યાત્રા, પુષ્પાદિપૂજા, જિનગુણગાન વગેરે અનુષ્ઠાનો સર્વવિરતિરૂપ ભાવસ્તવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ જાણવું. અહીં દ્રવ્ય શબ્દનો કારણ અર્થ છે. વિશેષાર્થ– પ્રશ્ન– જિનગુણગાન ભાવસ્તવ નથી?
ઉત્તર- છે અને નથી. પુષ્પાદિ દ્રવ્યોથી થતી દ્રવ્યપૂજાની અપેક્ષાએ ભાવસ્તવ છે. કારણ કે એમાં કોઈ દ્રવ્યની જરૂર પડતી નથી. પણ સર્વવિરતિરૂપ ભાવસ્તવની અપેક્ષાએ જિનગુણગાન દ્રવ્યસ્તવ છે. કારણ કે તે સર્વવિરતિનું કારણ છે. (૧૯૮).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org