________________
દેવ અધિકાર
विहिसारं चिय सेवइ, सद्धालू सत्तिमं अणुद्वाणं । दव्वाइदोसनिहओ, वि पक्खवायं वहइ तम्मी ॥ १९५ ॥
૧૧૧
विधिसारमेव सेवते श्रद्धालुः शक्तिमाननुष्ठानम् । દ્રવ્યાવિદ્દોષનિહતોઽપિ પક્ષપાત વતિ તસ્મિન્ ।। ૧૧ ।।........... ગાથાર્થ— શક્તિસંપન્નશ્રદ્ધાળું શ્રાવક અનુષ્ઠાનને વિધિપ્રધાન (=વિધિપૂર્વક જ) કરે છે. દ્રવ્ય આદિની પ્રતિકૂળતામાં પણ વિધિપૂર્વક કરવાના પક્ષપાતને ધારણ કરે છે. (૧૯૫)
आसन्नसिद्धियाणं, विहिपरिणामो हु होइ सया कालं । विहिच्चाओ अविहिभत्ती अभव्वजियदूरभव्वाणं ॥ १९६ ॥ आसन्नसिद्धिकानां विधिपरिणामस्तु भवति सदा कालम् । નિધિત્યાનોવિધિમહિમવ્યનીવમવ્યાનામ્ ॥ ૨૬૬ | ........... ગાથાર્થ— અત્યંત અલ્પકાળમાં મુક્તિની પ્રાપ્તિ હોવાના કારણે જેમની મુક્તિ નજીકમાં છે એવા આસન્નસિદ્ધિક જીવોને જ સર્વકાળે સર્વક્રિયાઓમાં શાસ્ત્રોક્ત વિધિની રુચિ હોય. અભવ્ય અને દૂરભવ્ય જીવો વિધિનો ત્યાગ અને અવિધિનું સેવન કરવાની રુચિવાળા હોય છે. (૧૯૬) विग्घोवसामिगेगा, अब्भुदयपसाहिणी भवे बीया । निव्वुइकरणी तइया, फलयाओ जहत्थनामेहिं ॥ १९७ ॥
विघ्नोपशमिकैकाऽभ्युदयप्रसाधिनी भवेत् द्वितीया ।
१९७
निर्वृत्तिकरणी तृतीया फलदा यथार्थनामभिः ॥ १९७ ॥ ગાથાર્થ— પહેલી વિઘ્નોપશમની, બીજી અભ્યુદયપ્રસાધની અને ત્રીજી નિર્વાણસાધની એમ ત્રણ પ્રકારની પૂજા છે. આ ત્રણ પૂજા યથાર્થનામવાળી છે, તેથી નામ પ્રમાણે ફળ આપનારી છે. વિઘ્નોપશમની પૂજા વિઘ્નોને શાંત કરે છે. અભ્યુદયપ્રસાધની પૂજા આ લોક-પરલોકનાં સુખો સાધી આપે છે. નિર્વાણસાધની પૂજા મોક્ષને સાધી આપે છે.
પહેલી પૂજામાં કાયયોગની પ્રધાનતા છે. કારણ કે પૂજક જાતે કાયાથી પૂજા કરે છે. બીજી પૂજામાં વચનયોગની પ્રધાનતા છે, કારણ કે બીજાઓને કહીને પૂજાની સામગ્રી મંગાવે છે. ત્રીજી પૂજામાં મનોયોગની પ્રધાનતા
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org