________________
૧૧૦
સંબોધ પ્રકરણ પાસે મંગાવે પણ છે, તો પણ તેને સંતોષ થતો નથી. કેમ કે લોકોત્તમપુરુષની પૂજા માટે લોકોત્તમ એવા નંદનવનના સહસકમળ આદિ તેને આવશ્યક દેખાય છે અને તે સહસકમળ આદિની પ્રાપ્તિ કાયાથી કે વચનથી તો થઈ શકે તેમ નથી, તેથી ભક્તિના પ્રકર્ષપૂર્વક તે મન દ્વારા વતનાપૂર્વક નંદનવનમાંથી પુષ્પો લાવીને ભગવાનની ભક્તિ કરે છે. આ ભક્તિમાં મનની વિશુદ્ધિ પ્રધાન છે, તેથી જ તેને મનોયોગસારા પૂજા કહેલ છે. (પંડિતશ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા કૃત પૂજાવિશિકાના વિવેચનમાંથી સાભાર ઉદ્ધત) (૧૯૨)
पुष्फामिसथुइपडिवत्तिभेएहि भासिया चउहा। जहसत्तीए कुज्जा पूयां पूयप्पसब्भावा ॥१९३ ॥ પુષ્પા-ડડમિષ-સ્તુતિ-પ્રતિપત્તિમાંfષતા વાધ ! યથાશક્યા ગુર્યાત્ પૂનાં પૂનાઇત્મસમ્ભાવાત્ ૧૨૩
ગાથાર્થ–પુષ્પ, આમિષ, સ્તુતિ અને પ્રતિપત્તિ એ ચાર ભેદોથી ચાર પ્રકારની પૂજા કરી છે. પૂજા કરવાના પોતાના શુભભાવથી યથાશક્તિ પૂજા કરે.
વિશેષાર્થ– આમિષ=આહાર વગેરે ભોગ્ય વસ્તુઓ. પ્રતિપત્તિ શ્રી જિનેશ્વરોની આજ્ઞાનું પાલન. પુષ્પથી અંગપૂજા સમજવી. આમિષથી અગ્રપૂજા સમજવી. સ્તુતિથી ભાવપૂજા સમજવી. આ ચારેય પૂજાઓ ઉત્તરોત્તર પ્રધાન છે. પહેલીથી બીજી, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી પૂજા પ્રધાન છે. (૧૩)
दुविहा जिणिंदपूया, दव्वे भावे य तत्थ दव्वंमी। दव्वेहि जिणपूया, जिणआणापालणं भावे ॥१९४ ॥ द्विविधा जिनेन्द्रपूजा द्रव्ये भावे च तत्र द्रव्ये ।
ઐઝિનપૂના ગિનીપાત પાવે | ૨૨૪ I .... ગાથાર્થ– દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારની જિનપૂજા છે. તેમાં પુષ્માદિ દ્રવ્યોથી થતી પૂજા દ્રવ્યપૂજા છે. શ્રી જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવું એ ભાવપૂજા છે. (૧૯૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org