________________
દેવ અધિકાર
૧૦૧ ગાથાર્થ–ઋદ્ધિયુક્ત એવા સંમત (=સંઘ માન્ય) શ્રાવકોએ અથવા સ્વયં પોતે (=એક શ્રાવકે) જિનભક્તિ માટે જે દ્રવ્ય આચરેલ (=આપ્યું) હોય તે દ્રવ્ય કલ્પિત કહેવાય છે અને જિનભક્તિના સર્વકાર્યમાં ઉપયોગી છે.
વિશેષાર્થ– પંન્યાસશ્રી કલ્યાણવિજય મહારાજે “ચાલુ ચર્ચામાં સત્યાંશ કેટલો” એ પોતાના નિબંધમાં આ ગાથાનો નીચે મુજબ અર્થ જણાવ્યો છે–“શ્રીમંત અને માન્ય (રાજા, મંત્રી વગેરે) શ્રાવકોએ અથવા પોતે ચિત્ય કરાવનારે) જિનભક્તિને માટે કલ્પીને જે દ્રવ્ય સંચિત કર્યું હોય તે કલ્પિત કહેવાય છે અને તે) ચૈત્યસંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગી થઈ શકે છે. (૧૬)
पवरेहिं साहणेहिं, पायं भावो वि जायए पवरो। नय अन्नो उवओगो, एएसि सयाण लट्ठयरो ॥१७० ॥ प्रवरैः साधनैः प्रायो भावोऽपि जायते प्रवरः । ન વાડ ૩૫યો તેષાં સતાં નષ્ટતા: II ૨૭૦ ||. ... ૨૭૦ ગાથાર્થ– ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ જાગે છે. તે ભાવથી અશુભ કર્મનો ક્ષય થાય છે. વિદ્યમાન ઉત્તમ વસ્તુઓના ઉપયોગનું જિનપૂજા સિવાય બીજું કોઈ ઉત્તમ સ્થાન નથી. વિશેષાર્થ–આ વિષે વ્યવહાર ભાષ્ય ઉદ્દેશો-૬, ગાથા-૧૮૮માં કહ્યું છે કેगुणभूड्ढे दव्वम्मि जेणमत्ताऽहियत्तणं भावे । इय वत्थूओ इच्छति, ववहारो निज्जरं विउलं ॥
“દ્રવ્યો ઉત્તમ હોય તો ભાવ અધિક થાય છે. આથી વ્યવહાર નય ઉત્તમ દ્રવ્યથી ઘણી નિર્જરા થાય એમ માને છે.”
કોઇ ક્લિષ્ટ કર્મવાળા જીવને ઉત્તમ દ્રવ્યોથી પણ ઉત્તમ ભાવ ન આવે એવું બને. તથા કોઈ ભાગ્યશાળી જીવને ઉત્તમ દ્રવ્યો વિના જ ઉત્તમ ભાવ આવે એવું પણ બને. આથી અહીં પ્રાયઃ કહ્યું છે.
તથા પુણ્યોદયથી મળેલ ઉત્તમ વસ્તુઓના ઉપયોગનું જિનપૂજા સિવાય બીજું કોઈ સુંદર સ્થાન નથી. કહ્યું છે કે__ देहः पुत्रः कलत्रं वा संसारायैव सत्कृतः । - વીતકાતુ પાનાં, સંસાઝિવે બન્ II (પૂજા પંચા) ૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org