________________
દેવ અધિકાર
૮૫
જીવોમાં પહેલાં જિનપૂજા, ગુરુસેવા અને જિનવાણી શ્રવણ આ ત્રણ ક્રિયા હોય છે. આનાથી ગ્રંથકાર એ કહેવા માગે છે કે—અવિરત સમ્યગ્દષ્ટિ જીવો માટે જિનપૂજા એ પ્રાથમિક કર્તવ્ય છે. પછી જીવ જેમ જેમ આગળના ગુણસ્થાનમાં જાય છે તેમ તેમ યથાયોગ્ય પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરવાની હોય છે. (૧૨૪)
जत्थ य जा दव्वकिरिया, अग्गग्गंमि हु तहा तहा दिट्ठा । भावत्थयस्स सव्वत्थ परमपवित्ती तहा दिट्ठा ॥ १२५ ॥ यत्र च या द्रव्यक्रियाऽग्राग्रे खलु तथा तथा दृष्टा । भावस्तवस्य सर्वत्र परमप्रवृत्तिस्तथा दृष्टा ॥ १२५ ॥
१२५
ગાથાર્થ આગળ આગળના ગુણસ્થાનોમાં જે ગુણસ્થાને જે જે રીતે જે ક્રિયા અભિમત છે, તે તે સર્વગુણ સ્થાનમાં તે તે રીતે ભાવસ્તવની ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ અભિમત છે.
..............
વિશેષાર્થ— જીવ જેમ જેમ ભાવપૂર્વકક્રિયામાં આગળ વધતો જાય છે, તેમ તેમ તેનામાં ભાવ વધે છે. અંતરના ભાવ એ ભાવસ્તવ છે. ક્રિયા એ દ્રવ્યસ્તવ છે. આમ ક્રિયા રૂપ દ્રવ્યસ્તવની જેમ જેમ વૃદ્ધિ થાય છે, તેમ તેમ આંતરિક ભાવરૂપ ભાવસ્તવ વધે છે. આનાથી ગ્રંથકાર એ સિદ્ધ કરવા માગે છે કે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે. એથી ભાવસ્તવની પ્રાપ્તિ માટે દ્રવ્યસ્તવ અનિવાર્ય છે. (૧૨૫)
सालंबणझाणाओ, झाणमणालंबणं हविज्ज सया । किं बहुणा भणिएणं, सासयसुहकारिणी पूया ॥ १२६ ॥
१२६
सालम्बनध्यानाद् ध्यानमनालम्बनं भवेत् सदा । નિ વસ્તુના મતેિન શાશ્વતસુવારિળી પૂના ॥ ૧૨૬ ............. ॥ ॥ ગાથાર્થ હંમેશા સાલંબનધ્યાનથી જ નિરાલંબનધ્યાન થાય, અર્થાત્ માલંબનધ્યાનનો અભ્યાસ કર્યા પછી જ નિરાલંબનધ્યાનનું સામર્થ્ય પ્રાપ્ત રાય છે. (જિનપૂજા સાલંબનધ્યાન છે. આથી નિરાલંબનધ્યાનનું પામર્થ્ય પ્રાપ્ત કરવા જિનપૂજા અનિવાર્ય છે.) વધારે કહેવાથી શું ? જિનપૂજા શાશ્વત સુખને કરનારી છે. (૧૨૬)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org