SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન રહેતાં ક્ષણવારમાં મિથ્યાત્વથી સંચિત થયેલી કર્મરજ નિર્જરી જાય છે (આત્માથી છૂટી પડે છે) // ૧ / સંસ્પદ પ્રરૂપણતા વિગેરે નવ દ્વાર વડે મતિજ્ઞાનની વ્યાખ્યાનો પ્રકાશ છે, વ્યવહારનયે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરવાથી અજ્ઞાની જીવને જ્ઞાનનો ઉલ્લાસ થાય છે. // ૨ // નિશ્ચયનય કહે છે કે જ્ઞાની હોય તે જ જ્ઞાન પામે છે. ભગવંતોને તો બન્ને નયો સત્ય છે. ૧ સત્યદ પ્રરૂપણામાં ગતિ વિગેરે વીશ માર્ગણાઓએ કરી મતિરૂપી સત્યદની પ્રરૂપણા કરવી. તેમાં ગતિમાર્ગણામાં કયી કયી ગતિઓમાં મતિજ્ઞાન પામેલા તથા પામતા જીવો હોય ? ચારે ગતિઓમાં મતિજ્ઞાન પમેલા જીવો હોય, પામતા જીવો કોઈ વખત હોય તથા કોઈ વખત ન હોય ૧ ઇન્દ્રિયમાર્ગણાએ પંચેન્દ્રિય જીવો પૂર્વપ્રતિપન હોય. પ્રતિપદ્યમાનની ભજન જાણવી. વિકલેન્દ્રિયો પૂર્વપ્રતિપન હોય. (સિદ્ધાંતકારના મતે, કાર્મ ગ્રથિક મતે ઉભય પણ ન હોય) એકેન્દ્રિયોમાં એક પણ ન હોય ૨. કાર્યમાર્ગણાએ ત્રસકાયમાં પૂર્વપ્રતિપન હોય, પ્રતિપદ્યમાન ભજના. પૃથ્વીકાયાદિમાં ઉભયાભાવ ૩. યોગમાર્ગણાએ સમુદિત ત્રણે યોગોમાં પંચેન્દ્રિયની માફક. મનોરહિત વચનયોગ વિષે વિકલેન્દ્રિયની માફક, કેવલ કાયયોગમાં ઉભયાભાવ ૪. વેદ દ્વારે ત્રણે વેદોનાં પૂર્વ પ્રતિપન હોય, પ્રતિપદ્યમાન ભજના ૫. કષાયદ્વારે અનજાનુબન્ધિમાં ઉભયાભાવ. બાકી ત્રણમાં પૂર્વપ્રતિપન હોય, પ્રતિપદ્યમાન ભજના ૬. લેશ્યા દ્વારે શુદ્ધ ત્રણમાં પંચેન્દ્રિયની માફક, અશુદ્ધ ત્રણમાં પૂર્વપ્રતિપન હોય, બીજા નહીં ૭ સમ્યકત્વ માર્ગણાએ વ્યવહારનયે પૂર્વપ્રતિપન હોય, નિશ્ચયનયે ઉભય પણ હોય ૮. જ્ઞાનદારે વ્યવહારનયે ચાર જ્ઞાનવાલાઓ પૂર્વ પ્રતિપન હોય, પ્રતિપદ્યમાન ન હોય. કેવલી ઉભય ન હોય. ત્રણ અજ્ઞાનીઓ પ્રતિપદ્યમાન વિવલિતકાલે હોય પણ પૂર્વપ્રતિપન્ન ન હોય. નિશ્ચયનયે મતિ શ્રત અવધિજ્ઞાનવાલા પ્રતિપન નિશ્ચયે હોય, પ્રતિપદ્યમાન પણ વિવક્ષિતકાલે હોય. મન:પર્યાયજ્ઞાની પૂર્વપ્રતિપન હોય, પ્રતિપદ્યમાન નહીં. કેવલી તથા ત્રણ અજ્ઞાની ઉભય પણ ન હોય ૯. દર્શનધારે ચક્ષુ અચલુ દર્શન લબ્ધિવાળા પૂર્વ પ્રતિપન હોય, પ્રતિપદ્યમાન અવધિદર્શની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy