________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન પ્રારંભ તંત્ર પ્રથમ વિધિ
પ્રથમ બાજોઠ ઉપર ઠવણી ને તેની ઉપર રૂમાલ ઢાંકી તે ઉપર પાંચ પુસ્તક મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએ, વળી પાંચ દીવેટનો દીવો કરીએ, તે જયણાપૂર્વક પુસ્તકની જમણી પાસે સ્થાપીએ અને પધાણું ડાબે પાસે મૂકીએ, પુસ્તક આગળ પાંચ અથવા એકાવન સાથિયા કરી ઉપર શ્રીફળ તથા સોપારી મૂકીએ. યથાશક્તિ જ્ઞાનની દ્રવ્યપૂજા કરીએ. પછી દેવ વાંદીએ અને સામાયિક તથા પોસધ મધ્યે વાસપૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ, અથવા દેહરાસર મધ્યે બાજોઠ ત્રણ ઉપરાઉપર માંડી તે ઉપર પાંચ જિનમૂર્તિ સ્થાપીએ. તથા મહા ઉત્સવથી સ્નાત્ર ભણાવીએ. પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું હોય તેની પણ વાસ પ્રમુખે પૂજા કરીએ તથા ઉજમણું માંડવું હોય તો તિહાં પણ યથાશક્તિ જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેઠી પૂજા ભણાવીને પછી શ્રી સૌભાગ્યપંચમીના દેવ વાંદીએ.
હવે દેવ વાંદવાનો વિધિ કહે છે.
પ્રથમ પ્રતિમાજીની જોગવાઈ ન હોય તો સ્થાપનાચાર્ય સમીપે અથવા નવકાર પંચિંદિય વડે સ્થાપના સ્થાપીને ઇરિયાવહી પડિક્કમી, ચાર નવકારનો અથવા એક લોગસ્સનો કાઉસગ્ગ કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org