________________
૭૬
જ્ઞાનપદ ભજીએ રે કરવાના ઈચ્છકે નીચે પ્રમાણે વિધિ દરેક માસની શુકલ પંચમીએ કરવો.
તપ કરવાનો વિધિ ૧. એકાસણું, આયંબિલ કે ઉપવાસ યથાશક્તિ કરવો. ૨. બંને ટંક પ્રતિક્રમણ કરવું. ૩. આ ત્રણ કાળ આઠ સ્તુતિ ને પાંચ શસ્તવાદિ વડે દેવા
વાંદવા. ૪. બે ટંક પડિલેહણ કરવું. ૫. ત્રણ કાળ જિનપૂજા કરવી. તેમાં પ્રાતઃકાળે વાસક્ષેપાદિ વ, | મધ્યાહે અષ્ટ પ્રકારી અને સાયંકાળે ધૂપ-દીપાદિ વડે કરવી. ૬. બે હજાર જાપ કરવો. અર્થાત્ “નમો નાણસ્સ” એ પદની
વીશ નવકારવાળી એકાગ્ર ચિત્તે ગણવી. ૭. બને તો પૌષધ કરવો અથવા દિવસનો ઘણો ભાગ
જ્ઞાનસ્થાનાદિમાં વ્યતીત કરવો. ૮. જ્ઞાન અને જ્ઞાનીની યથાશક્તિ ભક્તિ કરવી. ૯. જ્ઞાનનો અભ્યાસ કરવો અને તેની આશાતના ટાળવી. ૧૦. પ્રભુ પાસે અથવા જ્ઞાન પાસે પાંચ દીવેટનો દીવો કરવો. પાંચ
સ્વસ્તિક કરવા, યથાશક્તિ ફળ નૈવેદાદિ પદાર્થો પાંચ પાંચ
ચડાવવા. ૧૧. પાંચ અથવા એકાવન લોગ્સસનો કાઉસગ્ગ કરવો.
૧-૨ દેવવંદનનને પડિલેહણની વિધિ પ્રસિદ્ધ હોવાથી બતાવવામાં આવેલ નથી. ૩. જ્ઞાનપંચમીના દેવવન્દન તથા અર્થ આગળ આપવામાં આવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org