________________
૭૭
શ્રી જ્ઞાનપંચમી તપ કરવાનો વિધિ
જ્ઞાનપંચમીને દિવસે તો આ બધાં વાનાં સવિશેષે કરવાં. અર્થાત્ જિનેશ્વરની આંગી પૂજાદિ વડે વિશેષ ભક્તિ કરવી, ફળ નૈવેદાદિ વિશેષે ચડાવવાં, જ્ઞાનપંચમીના દેવ વાંદવા, તદંતર્ગત એકાવન ખમાસમણ દેવાં, ૫૧ લોગસ્સનો કાઉસગ્ગ કરવો, બનતા સુધી પૌષધ અવશ્ય કરવો, આખો દિવસ જ્ઞાનધ્યાનમાં જ વ્યતીત કરવો. જ્ઞાનના બહુમાન માટે યોગ્ય સ્થળે સુશોભિત ચંદરવા jઠીઆ વિગેરે બંધાવી જ્ઞાન પધરાવવું અને અનેક ભવ્ય જીવો દર્શન નિમિત્તે આવે તેવો આકર્ષક દેખાવ કરી જ્ઞાનની ભક્તિજયણા પૂર્વક કરવી. જ્ઞાન સમીપે ગાનતાન કરવું-કરાવવું, જ્ઞાનની પૂજા ભણાવવી. ઈત્યાદિ કરીને અનેક ઉત્તમ જીવો જ્ઞાનના આરાધનમાં તત્પર થાય તેમ કરવું.
આત્માના સર્વ લક્ષણોમાં “જ્ઞાન” પ્રથમ પદ ધરાવે છે, તેના વડે જ આ જીવ “ચેતન” ગણાયેલો છે. તે લક્ષણ અથવા ગુણને પ્રકટ કરવા માટે જેમ બને તેમ વધારે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. તે આવશ્યકતા સિદ્ધ કરવા માટે આ નીચે “જ્ઞાનાચારનું તેના આઠ પ્રકારનું સ્વરૂપ, તેની ઉપરના દૃષ્ટાંત સાથે પ્રારંભમાં જ બતાવવામાં આવ્યું છે. તે લક્ષપૂર્વક વાંચી જવાની પ્રાર્થના છે. કારણ કે તે ધ્યાનપૂર્વક વાંચવાથી જ્ઞાનના આરાધનમાં અવશ્ય તત્પરતા પ્રાપ્ત થાય તેમ છે. આ સંબંધમાં પ્રારંભમાં વધારે વિસ્તાર કરવાની જરૂર નથી કેમકે નીચેના લેખની અંદર જ તે હકીકત વિસ્તારથી બતાવવામાં આવેલી છે,
:
“
“ “
ન કરવું.
-
+
+
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org