________________
૬૪
જ્ઞાનપદ ભજીએ રે આરોગ્ય ઇચ્છો કે અર્થ? તમે કહેશો, આરોગ્ય. જેમ આરોગ્યના ભોગે અર્થ મેળવવા ઇચ્છતા નથી, તેવી રીતે ભવિષ્યની પેઢીની ચિંતા નેવે મૂકીને બીજી બધી બાબતોમાં નચિંત બની જઇશું તો, ભાવિ શી રીતે ઉજ્જ્વળ બનશે? તમે સમજો છો કે શરીર સારું
હશે તો જ પૈસા કામના છે, પણ રોગી હોઈશું તો પૈસાને શું કરવાના છે? તેમ આ લોકની ચિંતા પાછળ જે દિવસ-રાત વિતાવે અને પરલોકનો વિચાર પણ ન કરે, તે અંતે પસ્તાય છે. આજે એક બાળક ૧૦ વર્ષનો છે, તે કાલે ૨૦ વર્ષનો થશે. ત્યારે કોઈ ક્રિયાની રુચિ, ધર્મનો રાગ અને જ્ઞાનની સમજણ તેની પાસે નહીં હોય તો એનો વિકાસ શી રીતે થશે ?
માતા-પિતાથી અને ઘરના વાતાવરણથી વ્રત, પૂજા વગેરે ધર્મના થોડા સંસ્કારો પડ્યા હતા, તેના પરિણામે આજે ધર્મ કરવા જેવો છે એવી ભાવના તમારી રહી છે. પણ આજે જેનામાં સંસ્કાર અને શિક્ષણ (જ્ઞાન) નથી, તેનું શું થશે? સંસ્કાર એટલે ક્રિયા અને જૈન દર્શનની પરિપાટીનો પરિચય. આ સંસ્કારો આ પ્રમાણે છે : સાધુ મહારાજ આવે ત્યારે ઊભા થઈ જવું; તેઓ વહોરતા હોય ત્યારે ખાવું નહી; રોજ સવારે જાગતાં અને રાત્રે સૂતાં નવકાર ગણવા; સાધુને શું ખપે ? શુ ના ખપે ? – તેનું જ્ઞાન મેળવવું; - ભગવાનનાં દર્શન કરવાં; સાધુ મહારાજ કે સાધ્વીજી મહારાજ દેખાય ત્યારે મત્થએણ વંદામિ કહેવું; ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચક્ખાણ ગુરુ મહારાજ પાસે લેવું – આ બધા જૈન સંસ્કારો કુળાચારની જેમ સહજ બની જવા જોઈએ.
નવકારશીનું પચ્ચક્ખાણ શું છે ? ચૈત્યવંદન, ગુરુવંદન કેવી રીતે થાય? તે સમજવું જોઈએ. રોજ માબાપને પગે લાગવું : આ વાત તો હવે એક સ્વપ્ન જેવી બની ગઈ લાગે છે. અત્યારે માતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org