________________
સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા
સંસારનો સંસર્ગ નિરતર રાખ્યો અને કોઈ દિવસ તે સંસર્ગને ઈચ્છાપૂર્વક છોડીને ધર્મના સંસર્ગમાં આવ્યા નહીં. આવ્યા તો એમાં મનને પરોવ્યું નહીં. માટે જ આટલાં વર્ષોથી નવકારને ગણવા છતાં એ હૃદયમાં સ્થપાયો નહીં, નવકાર એ પાયો છે. જો તેના માટે જ આપણે આટલા બધા બેદરકાર છીએ, તો ચણતર કે શિખર માટેની અપેક્ષાઓ રહેવાની જ નહીં. નવકાર એ બિન્દુ છે. આગળ જતાં સમુદ્ર જેવા વિશાળ ગણિતાનુયોગ દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ અને ચરણકરણાનુયોગ જેવા કઠિન વિષયો આવે છે.
તમારામાં બુદ્ધિ છે. વેપારમાં સરકાર જેટલા કાયદા ઘડે છે, તેની સામે તેટલા જ અપવાદ તમે શોધી શકો છો. તો હવે એ બુદ્ધિને તત્ત્વજ્ઞાનમાં વાપરો. સંખ્યાની ઊણપ બધે જ - જિનમૂર્તિ જિનમંદિર વગેરે ક્ષેત્રોમાં-ઓછી થતી ગઈ છે, પણ જ્ઞાનક્ષેત્રે આપણે ઘણા પાછળ છીએ; આપણે જ્ઞાનની ઉપેક્ષા કરીએ છીએ. ઉપાધ્યાય તે શિષ્યને સૂત્ર ભણાવણહાર, એમ કહ્યું છે અને આપણે ત્યાં ઉપાધ્યાય અનેક છે, છતાં જ્ઞાનના ક્ષેત્રમાં દરિદ્ર છીએ. બીજાં બધાં ક્ષેત્રોમાં થોડા - સમ ખાવા પૂરતા પણ - આગળ વધ્યા છીએ, અને વિસ્તાર પણ સાધ્યો છે. બીજે વિપુલતા (Quantity) ભલે વધારી, પણ ગુણવત્તા (quality) અને ઊંડાણ નથી આવ્યાં તપશ્ચર્યા, ક્રિયા, ઉજમણાની સંખ્યા વધારી છે, પણ જ્ઞાનવૃદ્ધિ માટે શું કર્યું? પાઠશાળામાં કેટલાની હાજરી હોય છે ? ત્રણસો ઘરમાં ૧૦૦ વિદ્યાર્થી જેટલી પણ સંખ્યા થાય છે ખરી? અને ઘર કેટલાં?
આટલી પણ સંખ્યા નથી થતી તો તેના ઉપાયોની ચિંતાવિચારણા કે તમે કેટલી કરો છો? આજનો બાળક આવતી કાલનો શ્રાવક છે
એ ભૂલશો નહીં. શાસનને પામ્યા પછી માત્ર અર્થ પરાયણ જીવન દે જીવશો તો શાસનની પ્રાપ્તિ ફળશે નહીં. તમને કોઈ પૂછે કે તમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org