SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપદ ભજીએ રે . સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા અનંત ઉપકારી શ્રી અરહિંત પરમાત્મા અને તેમના લોકોત્તર શાસન જોડે આપણે એવો સંબંધ બાંધવો છે કે ભાવાંતરમાં પણ આપણને આ શાસન ફરીથી મળે. વ્યવહારમાં પણ આપણે એવી કુનેહથી જીવીએ છીએ કે, સંબંધોમાં બની મીઠાશ જળવાઈ રહે, અને ફરીથી તે આપણને બોલાવે. આમાં તમે બીજા માટે જેટલા વધુ ઘસાવ છો, તેટલો સંબંધ વધુ સારો રહે છે, એકતરફી સંબંધ ટકતો નથી. તમે એક વ્યક્તિ માટે કામ કર્યા જ કરો અને સામેથી એનો જવાબ ન મળે તો, અંતે થાકીને, તમારે તમારા સંબંધની મર્યાદા સંકેલવી પડે છે, ઘટાડવી પડે છે. સામે પક્ષે, તમે કંઈ ન કરો ને બીજા તમારા માટે ઘસાતા જ રહે, તો પણ એવો સંબંધ ટકી શકતો નથી. આવા સંબંધો પરસ્પર સાપેક્ષ હોય છે. તે જ રીતે આપણને આ શી જિનેશ્વરદેવના શાસને ઘણું આપ્યું છે, હવે તેનો સંબંધ જાળવી રાખવો હોય તો એની ઉપાસના કરવી જોઈએ; જીવનમાં તેને સ્થાન આપવું જોઈએ. ઋણને ફેડવાની ઈચ્છા, સમજ અને પ્રયત્ન સજ્જનોને હોવાં જોઈએ. આપણા માથે આ શાસનનું મોટું કરજ છે. તે ચૂકવવું તે આપણી ફરજ છે. દુર્જનોને દેવું કરવામાં જ રસ, ચૂકવવાની વાતમાં તેમને રસ પડતો નથી. આપણે સજ્જન બનવું છે. શાસનના આપણી ઉપરના ઋણને સ્વીકારો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy