________________
૬૫
સંસ્કાર-ઘડતરના પાયારૂપ ધર્મશિક્ષણની અનિવાર્યતા પિતાના વિનયના આવા સંસ્કારો રહ્યા જ નથી, એવું તો નથી; ક્યાંક ક્યાંક એવાં અમીછાંટણાં અત્યારેય દેખાય છે. ૫૦ વર્ષનો પુત્ર પણ ૮૦ વર્ષના પિતાને પગે લાગનાર આજેય મળે છે; પણ બહુ જ ઓછા. સંસ્કાર મેળવવાનાં આ ત્રણ સ્થાનો ગણાય
(૧) ઘર – પચાસ ટકા સંસ્કારનું શિક્ષણ ઘરમાંથી જ મળતું. ૬-૭ વર્ષના થાય ત્યારે નિશાળે મૂકતા. આજે તો બે-ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ નિશાળે મૂકી બાળકને એક જાતના બંધનમાં મૂકી દેવામાં આવે છે. બાળક જેટલું વિખૂટું પડતું જાય છે, તેટલી લાગણી ઘટતી જાય છે.
અમેરિકાની પ્રવાસયાત્રાએ નીકળેલા એક સમીક્ષકે ત્યાંની પરિસ્થિતિનું બહુ બારીકાઈથી નિરીક્ષણ કર્યા પછી, એનું તારણ શોધવા પ્રયત્ન કર્યો કે ત્યાંના અને અહીંનાં મા-બાપની લાગણીમાં તફાવત કેમ પડે છે ? દીકરો ઓફિસમાં હતો, ટેલિફોન આવ્યો કે પિતા બીમાર છે. તમે આવો, તમારી જરૂર છે. રીસિવર મુકાઈ ગયું. પછી દીકરાએ ઓફિસમાંથી જ ડોકટરને ફોન કર્યો કે તમારી તાકીદે જરૂર છે, મારા પિતા માંદા છે. એમને તરત દવાખાનામાં દાખલ કરો. અને હોસ્પિટલના ત્રીજે માળે ૮મા વોર્ડમા, ૨૩ નંબરની રૂમમાં એમને દાખલ કરવામાં આવ્યા. પછી પુત્ર તરત જ પોતાના કામમાં પરોવાઈ ગયો. ઈસ્પિતાલમાં જવાનો એનો વિચાર હતો, પણ આટલું કામ પતાવીને જઈશ, એવા વિચારથી એ ઓફિસ જ રહ્યો ! એટલામાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, એ ભાઈ ગુજરી ગયા છે! એ સાંભળી પુત્ર વિચારે છે કે, પિતા નથી રહ્યાં તો હવે મારે જવાનું પ્રયોજન શું? તેથી એણે શબ-વાહિની માટે ફોન કર્યો અને જણાવ્યું કે એમના અંતિમ સંસ્કાર આપ પિતાવી દેજો અને જે બિલ આવે તે મોકલી આપજો !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org