________________
જ્ઞાનપદ ભજીએ રે
• દુકાળમાં શ્રીસંઘ સીદાતો હતો તેને હાલનું જગન્નાથપુરી જ્યાં સુકાળ હતો ત્યાં મૂકીને શ્રીસંઘ પ્રત્યેનું વાત્સલ્ય દર્શાવ્યું. ♦ વૈરાગ્ય પણ વજસ્વામીનો! એવું કહેવાનું મન થાય તે રીતે તેઓએ રથાવર્ત્તગિરિ જઇને અણસણ સ્વીકાર્યું.
૫૬
એક બાળ સાધુ હતા તેમણે પણ શ્રી વજ્રસ્વામી ભગવાને જે રીતે અણુસણ સ્વીકાર્યું તે રીતે અણસણનો ભાવ કર્યો અને અણસણ કરીને બધા દેવલોકે પધાર્યા.
પરમજ્ઞાની શ્રી વજસ્વામી ભગવાનનો જય હો ! જય હો ! જય હો !
પુંડરીક - કંડરીકની સજઝાય (શ્રી સ્થૂલભદ્ર મુનિગણમાં શિરદાર જો... એ દેશી)
પુંડરીક કંડરીક દોય બંધવ મનોહાર જો, ભાવચરણ ને દ્રવ્યચરણના ધાર જો, કંડરીક રાજ્ય ત્યજીને ત્યાગે સંચર્યા જો ।। ૧ ।।
સંચરીયા પણ મન નહિ દૃઢ વૈરાગ્ય જો,
દેખી રાજ્યની ઋદ્ધિ ચલ્યા નિર્ભાગ્ય જો, સમય ગયે હીણ પરિણતિએ પાછા ફર્યા જો. ॥ ૨ ॥
પાછા ફરીને આવ્યા નયર બહાર જો,
ઉંચે મુકયો વેષ મુનિનો સાર જો, વિષ વંછે તે અમૃત જેને નવિ ગમ્યું જો. ।। ૩ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org