________________
૫૫
વાત એમ છે કે એક વખત વજસ્વામી મહારાજ પાટલીપુત્ર હાલનું પટના તરફ વિહાર કરતા હતા.
ત્યારે પાટલીપુત્રના રાજાને સમાચાર મળ્યા કે આચાર્ય શ્રી વજસ્વામી મહારાજ આવતીકાલે પાટલી-પુત્રનગર પધારે છે. તેથી બીજા દિવસે રાજા આચાર્ય વજને વંદન કરવાના લોભે સામે ગયા, તો તેઓ કુલ ૫૦૦ (પાંચસો) શિષ્યો સમેત પધારતા હતા. તેથી રાજાને પહેલાં જે વૃન્દ મળ્યું તેમાં જે મુખ્ય હતા તેને જ રાજાએ વજસ્વામી માન્યા અને એમ માનીને વંદન કર્યા પૂછ્યું આપ જ વજસ્વામી છો ! ત્યારે શિષ્યોએ કહ્યું કે ખજૂઓ અને સૂર્યની તમે ક્યાં સરખામણી કરો છો !
આ પ્રસંગે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે સાધુઓનું વર્ણન સુંદર કર્યું છે.
| (પરિશિષ્ટ પર્વ : સર્ગ બાર) જે સાધુ મળ્યા તે બધાં તેજસ્વી હતા. મધુર આકારવાળા હતા, મોં વિકસેલું હતું. સર્વ સાધુ વૃન્દ પ્રિયભાષી હતું. સર્વસાધુના હૃદયમાં કરૂણા ઉભરાતી હતી. બધાં જ સાધુ સમતાશાળી હતી. બધાં જ સાધુ મમતા વિનાના હતા. બધાં જ સાધુ મમતા વિનાના હતા. આમ સાત વિશેષણો સાધુનાં દર્શાવ્યાં છે. બધા સાધુવૃન્દ પછી ગજરાજની જેમ મહાલતા વજસ્વામી પધાર્યા.
- રુકિમણી નામની કન્યાને ઉપદેશ આપીને જે લગ્ન કરવા ઈચ્છતી હતી તેને દીક્ષા આપી. બે વખત શ્રી સંઘની યાદગાર ભક્તિ કરી.
શ્રી સંઘને પુષ્પપૂજા માટેનાં ફૂલ મળતાં ન હતાં તો આકાશગામિની વિદ્યાનો સંઘને માટે ઉપયોગ કરીને ૨૦ લાખ ફૂલ લાવી આપ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org