________________
૫૦
જ્ઞાનપદ ભજીએ રે
સાચે જ બીજા દિવસે અનાજથી ભર્યુંભર્યું મોટું વહાણ આવ્યું અને સર્વત્ર છત થઈ ગઈ. જિનદત્ત શ્રાવકે ઠાઠમાઠથી પ્રભુજીની પૂજા કરી. પુષ્કળ અનુકંપાદાન કર્યું અને પરિવાર સાથે શ્રી વજ્રસેનસૂરિ મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. તેમના ચાર પુત્રોના નામે ચાર શાખા નીકળી તે તેના નામ પ્રમાણે છે. આ બધું તમારે જાણવું જરૂરી છે. દીક્ષામહોત્સવમાં તો જવાનું થાય છે. ત્યારે જે નામકરણ કરવામાં આવે છે, ત્યારે વયરી શાખા ચાન્દ્રકુળ બોલાય છે તે આજ મહાપુરુષના નામે છે. આ ચારે નામ આ પ્રમાણે છે- અને તે તે કુળમાં મોટા પ્રભાવક પુરુષો થયા છે. જેમ કે નિવૃત્તિકુળમાં શીલાંકસૂરિ મહારાજ, નાગેન્દ્ર કુળમાં ઉદયપ્રભસૂરિ મહારાજ, ચન્દ્રકુળમાં સમગ્ર વડગચ્છતપાગચ્છ આવે છે અને વિદ્યાધર કુળમાં ભવિરાંકિત હરિભદ્રસૂરિ મહારાજ જેવા મહાપુરુષો થયા છે.
આવા વિદ્યાના સાગર સમા વિરલ કોટિના દશ પૂર્વધર મહાપુરુષ શ્રી વજસ્વામી મહારાજનાં ચરણોમાં આજના જ્ઞાન પાંચમના પવિત્ર દિવસે પ્રણામ કરીએ, વન્દના કરીએ. કૃપાપૂર્ણ આશીર્વાદની પ્રાર્થના કરીને જ્ઞાનનાં રાગી, આરાધક અને ઉપાસક બની રહીએ.
પરમજ્ઞાની શ્રી વજસ્વામીજીના જીવનની ઝલક ♦ મનોહર માળવા દેશ આજનું એમ.પી. –મધ્યપ્રદેશ.
• તુંબવન સંનિવેશ – આજનું મંદસૌર.
-
ધનિગર એને સુનંદા બે જણાં પતિ-પત્ની.
વજસ્વામી તેઓનો દીકરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org