________________
પરમજ્ઞાની શ્રી વજસ્વામીજીના જીવનની ઝલક
૫૧ • દીકરો જભ્યો ત્યારે સખી બોલી : એના બાપાએ દીક્ષા ન લીધી
હોત તો બાળકનો જન્મનો ઉત્સવ કેવા ઊછળતા ભાવે કરત ! • વાતમાં આવેલા દીક્ષા શબ્દને સાંભળતાં જ બાળક વજને
જાતિસ્મરણશાન થયું અને તેણે સચિત્ત-કાચું પાણી-કાચું
અનાજ વગેરેનો ત્યાગ કર્યો. - ધનગિરિ મહારાજ અને સુનંદાના ભાઈ મહારાજ શ્રી
આર્યસમિત ગોચરી માટે આવ્યા. • સુનંદાએ બાળક વ્હોરાવી દીધો. • ધનગિરિ મહારાજે આજુબાજુનાં પડોશીને સાક્ષી રાખ્યાં. • આચાર્ય ગુરુ મહારાજ શ્રી સિંહગિરિજી મહારાજે પૂછ્યું, આ વજ જેવું ભારેભારે શું લઈ આવ્યા છો? બાળકનું નામ વજ એ રીતે પડ્યું. છ મહિનાના જ હતા તેથી સાધ્વીજી મહારાજ હસ્તક કુશળ શ્રાવિકાને સોપવામાં આવ્યા. સુનંદાએ શ્રાવિકાને ઘેર શાણા સમજુ તરીકે જોયા. પાછા મેળવવાનું મન થયું. રાજાને ત્યાં વાત કરી. રાજા કહે જેની પાસે જાય તેનો બાળક થાય. માતાનો હક્ક પહેલો. સુનંદા તો રમકડાં અને સુખડી વગેરે બાળક યોગ્ય આકર્ષણો લઈને રાજસભામાં ગયાં. બાળક વજ તે જોઈને ચલિત ન થયા. ગુરુમહારાજે ઘો બતાવ્યો તે બાળક વજે દોડીને લઈ લીધો. સાધ્વીજીના મુખથી અગિયાર અંગ સૂત્ર સાંભલીને બાળક વજને યાદ રહી ગયા. તેમને ગત જન્મના જ્ઞાનના સંસ્કારથી પરાવર્તના સ્વાધ્યાયથી પદાનુસારી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. જેથી એક હજાર ગાથામાં ગમે તે એક ગાથા સાંભળતાં યાદ રહી જતું. આ સમયે ઉંમર ત્રણ વર્ષની હતી.
ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org