________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
૪૯ કહે કે બાળ સાધુનું કાર્ય સિદ્ધ થયું છે. તેનો મહિમા મહોત્સવ કરવા દેવો આવે છે. ત્યારે વૃદ્ધ સાધુઓને થયું આપણે પણ આપણું કાર્ય સાધી લઈએ.
એવામાં જ એક શ્રાવક આવ્યો. કહે કે આ પારણાને યોગ્ય દ્રવ્યો લાવ્યો છું. પારણું કરી લો. સાધુઓ જ્ઞાની હતા. કળી ગયા. અહીંના ક્ષેત્રપાળને આ ગમ્યું નથી. આપણે અન્યત્ર જવું જોઈએ. અપ્રીતિ હોય ત્યાં અણસણ પણ ન થાય.
નજીકના બીજા પહાડ ઉપર શ્રી વજસ્વામી સમેત બધા પધાર્યા. ત્યાં અણસણ લીધું. કાર્ય સિદ્ધ થયું. દેવો આવ્યા. ઈન્દ્ર મહારાજ પણ આવ્યા. સમગ્ર પર્વતને પ્રદક્ષિણા દીધી. ત્યારથી એ પહાડનું નામ જ રથાવર્તગિરિ પડી ગયું. એ પહાડ અમર થઈ ગયો!
આ બાજુ વજસેન મહારાજ વિહાર કરતાં કરતાં સોપારકનગરમાં પધાર્યા. આજનું સફાલા (જે મુંબઈ શહેરની નજીકમાં છે તે) છે ત્યાં જિનદત્ત નામના શ્રાવક છે. ઈશ્વરી નામની તેમની પત્ની છે. ધાન્યની તંગી એવી છે કે ઘરમાં એક પણ દાણો નથી. હવે જીવવું કેમ ? તેથી જ્યારે એક હાંડલી જેટલા ચોખા ૧ લાખ સોનૈયે મળવા લાગ્યા. તે લીધા. તેમાં ઝેર ભેળવીને હવે જીવનનો અંત લાવી દઈએ.
યોગાનુયોગ પુણ્યબળે એ જ દિવસે શ્રી વજસેન મહારાજ પધાર્યા. જિનદત્ત શ્રાવકનો પરિવાર તો રાજી રાજી થઈ ગયો. આવો અદ્ભુત લાભ મળશે. શ્રી વજસેનસૂરિ મહારાજે કહ્યું કે હવે આવતી કાલથી સુકાળ થશે ત્યારે જિનદત્તનાં શ્રાવિકા પૂછે છે કે આ તમારી મેળે કહો છો કે કોઈએ તમને કહ્યું છે ! એટલે વજસેનસૂરિ મહારાજે કહ્યું કે ગુરુ મહારાજે કહ્યું હતું. પછી તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org