________________
૪૬ "
જ્ઞાનપદ ભજીએ રે પુષ્પો પણ આણી આપું તેમ છું. એમ કહી એ પવ અર્પણ કર્યું વજ મહારાજે વિદ્યાના બળથી મોટા વિમાનની વિકુવણા કરી અને તેમાં આ મોટું કમળ મૂકયું અને આવ્યા મહેશ્વરી ઉદ્યાનમાં. ત્યાંથી ૨૦ લાખ ફૂલો પેલા વિમાનમાં શ્રીદેવીના કમળની અડખેપડખે ગોઠવાવ્યાં અને ઉપડ્યા જગન્નાથપુરી. જ્યાં વિમાન નગર ઉપર આવ્યું ત્યાં બધા બૌદ્ધો એમ જ માનવા અને બોલવા લાગ્યા કે. આ વિમાન બૌદ્ધ ધર્મ માટે આવ્યું છે. બૌદ્ધ ધર્મનો જયજયકાર : થઈ રહ્યો છે. પણ જ્યાં વિમાનનું અન્ના ચૈત્ય પાસે અવતરણ થયું ત્યારે બૌદ્ધોના મોં વિલખાં પડી ગયાં. ચૂપ થઈ ગયાં. ચોકી ઊઠ્યા. અમે વિચારતા'તા કાંઈક ને આ બન્યું પણ કાંઈક.
અહના ઉપાસકો તો આ ૨૦ લાખ પુષ્પો વત્તા શ્રીદેવીના અતિ વિશાળ કમળને જોઈ પ્રભાવિત થયા જ પણ બૌદ્ધો પણ આવા દૈવી વિલક્ષણ ચમત્કારથી ખૂબ જ ચમત્કૃત થયા જ. પણ બૌદ્ધ ધર્મનુયાયીના મન ઉપર આની ઘણી અસર થઈ. અરે ! થાવત્ ત્યાંના રાજા પણ આ શ્રી વજસ્વામીના દિવ્ય પ્રભાવપૂર્ણ વ્યક્તિત્વથી અંજાઈ ગયો અને અહંનો ઉપાસક થઈ ગયો. પં. પદ્યવિજયજી મહારાજે ગાયું છે :
બૌદ્ધ રાયને પણ પ્રતિબોધ્યો કીધો શાસનરાગી રે, શાસનશોભા વિજયપતાકા અંબર જઈને લાગી રે.
આપણે આ રીતે શ્રી વજસ્વામી મહારાજના શ્રી સંઘ પ્રત્યેના વાત્સલ્યનો પ્રસંગ જોયો. તેમાં તેમની વિદ્યા-લબ્ધિ અને મંત્રશક્તિનો પરિચય મેળવ્યો.
હવે તેમની આત્માની જાગૃતિ અને સંયમની પ્રીતિ કેવી હતી તે જોઈએ. અરે ! તેઓના રોમરોમમાંથી વૈરાગ્ય કેવો નીતરતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org