________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
૪૫
તો ફૂલની પાંદડી મળતી નથી. જેવી રીતે ગામ બહાર શિવની/જક્ષની પ્રતિમાને બિલીપત્ર-તુલસી પણ ચઢે. તેમ ત્રિલોકના નાથ અર્હત્-ને ચઢાવવાનું થાય તે તો મહાદુઃખનું કારણ બને. તેથી સંઘનાં ઘણાં ભાઈઓ-બહેનો શ્રી વજસ્વામી મહારાજ પાસે આવીને રડતી આંખે વારંવાર કહેવા લાગ્યાં. કરુણાસાગર શ્રી સંઘવાત્સલ્યના સ્વામી વજસ્વામી ભગવાનને થયું વળી વિદ્યાનો ઉપયોગ કરવાનો અવસર આવ્યો છે. તેથી ગગનગામિની વિદ્યાના સહારે તેઓ જગન્નાથપુરીથી માહેશ્વરીપુરીના નગરની બહારના હુતાશન નામના ઉદ્યાનમાં પધાર્યા. તડિત નામના માળીને મળ્યા. આ માળી વજસ્વામીના પિતા ધનગિરિજીના મિત્ર થતા હતા. માળી તો વજસ્વામીના દિવ્ય દેદારને જોઈ ખુશખુશ થઈ ગયો. મારે ત્યાં અકાળે આંબા ફળ્યા ! પધારો...પધારો ફરમાવો. શું સેવા કરું ? વજ્રસ્વામી ભગવાન કહે મારે પુષ્પોથી પ્રયોજન છે. ને તે તું આપી શકે તેમ છે. માળી તો વાત સાંભળીને ખૂબ ખુશીમાં આવી ગયો. તે કહેતો “મારા બગીચામાં રોજ ૨૦ લાખ ફૂલ ઊતરે છે. એક દિવસના ફૂલ આજે આમ સ્વીકારીને લાભ આપો !' વજસ્વામી મહારાજે કહ્યું. બધી તૈયારી કરી રાખો. હું હમણાં આવું છું. એમ કહીને તેઓ લઘુ હિમવંત પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં પદ્મહદમાં પધાર્યા. ત્યાં શ્રીદેવી પોતે એક વિશાળ કમળ લઈને દેવાધિદેવની પૂજા માટે જઈ રહ્યાં હતાં. શ્રીદેવી વજસ્વામીજીને જોઈને આભાં જ બની ગયાં. પોતે અર્ધવનત થઈને વંદના કરી પોતાના મુકુટમાં જડેલા લાલ મણીની કાંતિથી વજસ્વામીના ચરણના નખ પણ લાલ થઈ ગયા. શ્રીદેવી પૂછે છે ‘પ્રભો ! શું લાભ આપશો !' વજસ્વામીજી કહે કે આ તમારા હાથમાં જે પદ્મ છે તેનું પ્રયોજન છે. શ્રીદેવી કહે આ શું કહ્યું ! હું તો ઇન્દ્ર મહારાજના બગીચાનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org