SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨) ૪૭ હતો કે જ્યારે જ્યારે આર્યરક્ષિત મહારાજ તેઓ પાસે ભણવા જઈ રહ્યા હતા ત્યારે વચમાં વયોવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે વન્દનાર્થે ગયા. તેઓએ કહ્યું કે મારો અંતકાળ નજીક છે. નિર્યામણા કરાવીને પછી જજો અને એક વાત ખાસ યાદ રાખજો કે શ્રી વજસ્વામી પાસે તમે જાવ ત્યારે તેમની પાસે ખૂબ ભણજો. લેવાય એટલું લેજો. પણ રહેજો જુદી વસતિમાં. કારણ કે તમારી શાસનને ખૂબ જરૂર છે. જો તમે શ્રી વજની વસતિમાં રહેશો તો તમને પણ તેમની સાથે જ અણસણ કરવાની ઈચ્છા થઈ આવશે. તેમના અણુ-પરમાણુમાંથી સતત એવો વૈરાગ્યરસ ઝરે છે જે તેમના સ્થાનમાં રાત વીતાવે તેને એવો જ પરિણામ થઈ આવે. માટે તમે અલગ વસતિમાં રોકાજો. અને બન્યું પણ તેવું જ. જેવા આર્યરક્ષિત મહારાજ શ્રી વજસ્વામી પાસે પહોંચ્યા ત્યારે જુદી વસતિમાં પાત્રા-ઉપધિ મૂકીને ગયા. શ્રી વજસ્વામીજીએ તુર્ત કહ્યું કે તમારાં પાત્રા ઉપધિ ક્યાં છે ! આર્યરક્ષિતજી કહે છે ત્યાં બીજા મુકામમાં મૂકીને આવ્યો છું. ‘તારે ભણવું છે અહીં અને રહેવું છે બીજું ?' આર્ય રક્ષિતજીએ અત્યંત વિનયથી કહ્યું કે “મને આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજે કહ્યું છે. તેથી આમ કર્યું છે.’ શ્રી વજસ્વામીજીને તુર્ત સ્વીકાર કર્યો! હા. તો તો બરાબર છે. એટલે વજસ્વામીજીનું જીવન વૈરાગ્યથી ભરપૂર હતું. અપ્રમત્તતા=ક્ષણેક્ષણની સતત જાગૃતિ એ સંયમનો પ્રાણ છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં આવે છે કે મુત્તા અમુળી મુળળો સા શાંતિ (જે સૂતેલા છે તે અમુનિ છે, મુનિઓ તો સતત જાગતા હોય છે.) સૂતેલા એટલે પ્રમાદી, સંયમજીવનને વીસરી ગયેલા. નિઓ સતત જાગરુક હોય છે. પળેપળ તેઓ જીવંત હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy