________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
૪૩
તેવું વિચારીને તેઓએ એક વિશાળ જાજમ બિછાવી તેમાં સકલ સંઘને વિરાજમાન થવા માટે કહ્યું. બધા બેસી ગયા. રૂનું પુમડું આકાશમાં ઊડે તેમ એ જાજમ ઊડવા લાગી. જે ભાગ્યશાળી વ્યક્તિના ઘરમાં વજસ્વામી રહ્યા હતા તે ભાઈ દત્ત બાજુના ગામમાં ગયા હતા તે આવ્યા અને ઊડતી જાજમ અને તેમાં બેઠેલા અનેકાનેક ભાઈઓને જોયા. એટલે દત્તે વિચાર્યું હું તો રહી ગયો ! તુર્ત તેણે યુક્તિ કરી. માથાના વાળનો લોચ કરવા માંડ્યો અને પોકાર કર્યો ! ઠપકાના સૂરમાં જ કહ્યું કે હવે સાધર્મિક એવા મને રાખીને જાવ છો ! શ્રી વજસ્વામીના મનમાં કરુણા થઈ આવી. ગ્રન્થની પંક્તિ યાદ આવી. “સાધર્મિક વાત્સલ્યમાં, સ્વાધ્યાયમાં, ચારિત્રમાં અને શાસનપ્રભાવનમાં ઉજમાળ હોય તેને તો તારવા જ જોઈએ.' એ વિચારથી તેઓ નીચે આવ્યા અને શય્યાતરને સમાવી લીધો. અને ગગનમાર્ગે આગળ ને આગળ ઉપડ્યા. માર્ગમાં આવતાં ચૈત્યોનાં શિખરો જોઈ તેની વન્દના કરતાં કરતાં જ્યાં સુકાળ હતો તેવા જગન્નાથપુરીમાં આવી ગયા.
શ્રીસંઘવાત્સલ્યનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રભાવક સાધુ કયારે પણ સંઘવિમુખ ન હોય. તેના હૃદયમાં સંઘ પ્રત્યેનું વાત્સલ્ય ભરપૂર હોય. આ સંઘવાત્સલ્યનું ઉદાહરણ સુંદર છે. પણ આનાથી ચઢિયાતી સંઘવાત્સલ્યની ચોંકાવનારી વાત હવે બને છે.
ધનધાન્યથી સમૃદ્ધ એવી જગન્નાથપુરીમાં આવી તો ગયા. ચિંતા ટળી. જ્યાં ધાન્યના કણના ફાંફા હતા તેને બદલે તેના ભરેલા ભંડાર જોવા મળ્યા. ભારતમાં પાણીનો તો કયાંય દુકાળ નહતો. એક તો પાણીનો વપરાશ જ મર્યાદિત હતો અને પાણી સંઘરવાની કળા બરાબર બધાં જાણતાં અને અજમાવતાં હતાં. આંતરિક્ષનું વર્ષાજળ સંઘરવા માટે ટાંકાં ઘરઘરમાં રહેતાં હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org