________________
૪૨.
જ્ઞાનપદ ભજીએ રે અને સથવારો મળે એવી પ્રાર્થના કરવાનું મન થાય છે. એક સજઝાયની એક કડીમાં આ વાત સરસ રીતે કહેવાઈ છે. .
“જગ ઉપકારી હો જગહિત વત્સલો દીઠે પરમ કલ્યાણ, વિરહ મ પડશો એહવા ગુરુ તણો જાવ લહું નિરવાણ.”
આવા વ્હાલા લાગે તેવા ગુરુની વાતો કરવી બહુ ગમે છે. તમને પણ ગમતી હશે એમ માનીને આટલી વાત કરી. હવે આપણે વજસ્વામી મહારાજની સંઘભક્તિનાં દર્શન કરીએ. કેવા કેવા કપરા સંયોગોમાંથી વિશ્વ પસાર થયું છે ! એ બધું જ્યારે બારીકાઈથી જોઈએ વિચારીએ ત્યારે તેનું સમ્યફ આકલન થાય છે. પ્રસંગ આ રીતે બન્યો છે :
સામાન્ય રીતે શ્રી વજસ્વામીનું વિહારક્ષેત્ર પૂર્વના દેશમાં રહ્યું છે. ત્યાંથી તેઓ વિચરતાં વિચરતાં ઉત્તરના પ્રદેશમાં પધાર્યા. ત્યાં બનવું ન જોઈએ. આવા દિવ્ય-ભવ્ય વિભૂતિ જેવા મહાપુરુષ વિચરતા હોય ત્યાં અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ વગેરે ન રહેવાં જોઈએ. પણ વિષમકાળના પ્રભાવે ત્યાં દુકાળ પડ્યો. લોકોને અનાજની તંગી એવી પડી કે જે શ્રીમંત વર્ગ તરફથી સત્રશાળા ચાલતી હતી તે પણ બંધ થવા લાગી. જ્યાં જુઓ ત્યાં ભૂખમરાની બૂમ પડવા લાગી. કોઈ દહીં વેચવા મટકી લઈને આવે તો લોકો તેના વાસણને આંચકી લે ને દહીં સફાચટ કરી દે. દરિદ્ર માણસો તો હાડકાંના માળા જેવા થઈ રહ્યા. અરે ! સાધુ મહારાજ વ્હોરવા જાય તો તેમને ગૃહસ્થો ગૌચરીના દોષોની વાત સમજાવે. એટલે દુકાળના ભરડામાં સપડાયેલા સંઘે શ્રી વજસ્વામીને વિનંતી કરી. શ્રી વજસ્વામીજીએ પણ ઊંડી વિચારણા કરી. તેમની પાસે ગગનગામિની વિદ્યા હતી. આવા સંઘના પ્રયોજનમાં વિદ્યામંત્રનો ઉપયોગ કરવો તે કર્તવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org